AhmedabadGujarat

ધારા હત્યા કેસ : સૂરજ ભૂવાને લઈને મૃતક ધારાના ભાઈએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી રીતે દુષ્કર્મની પીડિતાની હત્યા કરી નાખવાની અમદાવાદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી નાખવાની ઘટનાને લઈને હાલ તો ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ સમગ્ર મામલે આરોપી સુરજ સોલંકી, એક મહિલા સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હવે આ મામલામાં મોટી જાણકારી સામે આવી છે.

સૂરજ ભૂવા દ્વારા કરવામાં આવેલી ધારાની હત્યા બાબતમાં મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મૃતકના ભાઈ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, પોલીસ દ્વારા ધારાને શોધવા માટે અમારી કોઈ મદદ કરવામાં આવી નથી અને ગુજરાતના હાઈકોર્ટના આદેશ બાદ પોલીસની ટીમે તપાસ શરુ કરી હતી.

મૃતકના ભાઇ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૂરજ ભૂવો દરેક મંગળવારના ધારાને મઢ પર બોલાવતો રહેતો હતો. સુરજ ભુવો અને તેના ગૃપ દ્વારા અસામાજિક પ્રવૃતિ કરવામાં આવી રહી છે અને યોગ્ય રીતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક ખુલાસાઓ થઈ શકે છે. મૃતકના ભાઇ દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું છે કે, એક વર્ષ પહેલા સુરત ભુવા દ્વારા ધારાની હત્યા કરવામાં આવી અને તેને ફાંસીની સજા થાય તેવી માગ પણ કરવામાં આવી હતી.

જ્યારે આ મામલામાં આરોપીઓની ધરપકડ કરીને પોલીસ દ્વારા બે દિવસ પહેલા ધારાની હત્યાકાંડ બાબતમાં ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આરોપી સૂરજ ભુવાને રિ-કન્સ્ટ્રક્શન માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, અત્યારે આરોપી સૂરજ ભુવા સહિત અન્ય આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ હેઠળ રહેલા છે. આ મામલે પોલીસ દ્વારા સુરજ સોલંકી, એક મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.