GujaratSaurashtra

ભાવનગરમાં આઠ વર્ષના બાળકને શ્વાન કરડ્યાના બે માસ બાદ હડકવા ઉપડતા હોસ્પિટલમાં ખસેડતા મૃત્યુ

ગુજરાતમાં રખડતા ઢોર અને રખડતા શ્વાનનો આતંક યથાવત રહેલો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત ભાવનગર જિલ્લામાંથી સામે સામે આવી છે. જેમાં રખડતા શ્વાનના લીધે આઠ વર્ષના બાળકનો જીવ ચાલ્યો ગયો હતો. બાળકના મૃત્યુના પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

ભાવનગરના લોલિયા ગામમાં રહેનાર મુકેશ નીરદાસભાઈ મોરી નામના 8 વર્ષના બાળકને બે મહિના અગાઉ શ્વાન દ્વારા કરડવામાં આવ્યું હતું. તેમ છતાં મુકેશને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો નહોતો. તેની સાથે એન્ટી રેબિક રસી પણ અપાઈ નહોતી. તેના લીધે મુકેશને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

જાણકારી મુજબ, શ્વાનના બે મહિના બાદ મુકેશને હડકવા ઉપડતા માતા-પિતા દ્વારા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર બાદ મુકેશનું મૃત્યુ નીપજ્યું હતું. કૃતરું કરડયા બાદ રસી ન આપવાના લીધે બાળકને હડકવા ઉપડી ગયો હતો. જ્યારે પરિવારની બેદરકારીને બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.