GujaratSaurashtra

અન્ય યુવતી સાથે પ્રેમ થઇ જતા પતિએ પત્નીને કાઢી મૂકી ઘરની બહાર, પરિણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

લગ્ન પછી સાસરિયાઓ દ્વારા પરિણીતાને આપવામાં આવતા ત્રાસના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં પરિણીતાના પતિને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી તે પરિણીતાને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યો હતો. ત્યારે પતિ,નણંદ અને સાસુ દ્વારા સતત આપવામાં આવતા ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે આ મામલે સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના એક ગામની 26 વર્ષની ઉંમરની એક યુવતીના લગ્ન ઘોઘા તાલુકાના એક ગામે વસ્વાત કરતા ચિથર કંટારીયાના પુત્ર અશોક સાથે વર્ષ 2017માં થયા હતા. લગ્નના થોડો સમય સુધી તો પતિ પત્ની વચ્ચે ખૂબ સારું ચાલ્યું હતું. પરંતુ થોડા સમય બાદ અશોક ને તેના જ ગામની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. અને આ વાતની જ્યારે પરિણીતાને થતા પરિણીતાએ અશોકને તે પ્રેમ સંબંધ પૂરો કરવા કહ્યું હતું. ત્યારે પતિએ પરિણીતાને ઢોર માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી.

નોંધનીય છે કે, પતિએ ઘરમાંથી કાઢી મુકતા પરણીતા થોડો સમય સુધી તેના પિયરમાં જતી રહી હતી. અને થોડા સમય બાદ કુટુંબ પરિવારે વચ્ચે પડીને પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવીને પરિણીતાને તેના સાસરીમાં મોકલી હતી. પરંતુ પતિ અશોકે ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ ચાલુ રાખ્યો હતો. ત્યારે પરિણીતાએ આ મામલે તેની સાસુને જણાવી તો સાસુ પણ પરિણીતાને દોષ આપીને તેને કરીયાવરનઇ વાતને લઈને મેણાં-ટોણાં મારીને મારકૂટ કરતાં હતા. આ દરમિયાન પરિણીતાનો પતિ પોલીસની પરીક્ષામાં પાસ થઈ જતા તે હાલ કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે.  ત્યારે અશોક સતત પરિણીતાને છુટાછેડા લઈ લેવા માટે સતત દબાણ કરતો હતો. જેને લઈને પરિણીતાએ આ સમગ્ર મામલે પતિ અશોક, સાસુ તેમજ નણંદ વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ફરિયાદના આધારે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.