BollywoodIndiaNews

ફેમસ એક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું નિધન, બાથરૂમમાંથી લાશ મળી

અભિનેતા, મોડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂત (Aditya Singh Rajput) નું નિધન થયું છે. તેનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આદિત્ય બિલ્ડીંગના 11મા માળે સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ પછી, મિત્ર અને બિલ્ડિંગના ચોકીદાર તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરે અભિનેતાને મૃત જાહેર કર્યો.

આદિત્ય સિંહ રાજપૂતે (Aditya Singh Rajput) પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. તમને જણાવી દઈએ કે આદિત્ય સિંહ રાજપૂતે ઇન્ડસ્ટ્રીમાં ઘણા નવા અભિનેતાઓ અને અભિનેત્રીઓને લોન્ચ કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર તેનું મોત ડ્રગ્સના ઓવરડોઝને કારણે થઈ શકે છે. આદિત્ય દિલ્હીનો છે અને તેણે મોડલ તરીકે શરૂઆત કરી હતી. તેણે ક્રાંતિવીર અને મૈંને ગાંધી કો નહીં મારા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Aditya Singh Rajput લગભગ 300 જાહેરાતોનો ભાગ હતો અને તેણે સ્પ્લિટ્સવિલા 9 જેવા રિયાલિટી શોમાં ભાગ લીધો હતો અને લવ, આશિકી, કોડ રેડ, આવાઝ સિઝન 9, બેડ બોય સિઝન 4 અને અન્ય જેવા ટીવી પ્રોજેક્ટ્સ કર્યા છે. 15 કલાક પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. જેમાં તેણે સન્ડે ફન્ડે વિથ બેસ્ટીઝ લખ્યું હતું.

આદિત્ય સિંહ રાજપૂતે 17 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમનો જન્મ દિલ્હીમાં થયો હતો. અભિનેતાના નિધન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે તેના ફેન્સને પણ મોટો આઘાત લાગ્યો છે. આદિત્યએ વેબ સિરીઝ ‘ગંદી બાત’માં પણ કામ કર્યું હતું. ચાહકોને તેની એક્ટિંગ ઘણી પસંદ આવી હતી. અભિનેતા લાંબા સમયથી પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા હતા. મુંબઈના ગ્લેમર સર્કિટમાં આદિત્યની ખાસ ઓળખ હતી. તે ઘણીવાર પાર્ટીઓ અને પેજ 3 ઈવેન્ટ્સમાં જોવા મળતો હતો.