BharuchGujaratSouth Gujarat

ભરૂચમાં પાંચ મિત્રો બાઈક લઈને ફરવા નીકળ્યા, કારે અડફેટે લેતા એક યુવકનું કરુણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટાવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતારહે છે. ત્યારે વધુ એક અકસ્માત અંકલેશ્વર તાલુકાના પીપરોડ ગામથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અંકલેશ્વર તાલુકાના પીપરોડ ગામમાં નેત્રંગ-રાજપીપળા રોડ પાસે બાઈક ચાલકને કાર ચાલક દ્વારા અડફેટે લેતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવી છે. અંકલેશ્વર તાલુકાના પીપરોડના મંદિર પાસે રહેનાર ઘનશ્યામ મહેન્દ્ર વસાવા પોતાના મિત્રો સાથે ફરવા માટે નીકળેલા હતા. તે પોતાના મિત્ર મનીષ મુકેશ વસાવા, જયેશ વિજય વસાવા સહીત પાંચ મિત્રો અલગ-અલગ બાઈક લઇને નાંદોદ તાલુકાના માંડાણ ખાતે ફરવા માટે ગયેલા હતા. ત્યાર બાદ તે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે મનીષ વસાવાની બાઈકને નેક્શોન નામની કાર દ્વારા ટક્કર મારવામાં આવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની આ ઘટનામાં પીપરોડ ગામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેના લીધે તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા જયેશ વસાવાને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે સારવાર માટે નેત્રંગ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત મામલામાં નેત્રંગ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં કારના આગળના ભાગનો કુચ્ચો થઈ ગયો હતો. ઘટના બાદ કાર ચાલક વાહન મૂકીને નાસી ગયો હતો. નેત્રંગ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.