GujaratSaurashtra

સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું રોડ અકસ્માતમાં અવસાન

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સાવરકુંડલાથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્યને લઈને એક દુ:ખદ જાણકારી સામે આવી છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિમંત્રી વી. વી. વઘાસીયાનું રોડ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. અકસ્માતની જાણકારી મળતા જ રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા છે. વી. વી. વઘાસિયાના અકસ્માતના સમાચાર સાંભળતા સમગ્ર પંથકમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે, સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાનું રોડ અકસ્માતમાં અવસાન થયું છે. જાણકારી અનુસાર શેલણા વંડા વચ્ચે કાર અને જેસીબી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ત્યાર બાદ વી. વી. વધાસીયાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણકારી મળતા જ રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો હોસ્પિટલે આવી ગયા હતા. આ મામલામાં હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.