India

ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારી હત્યા, બદમાશોએ 20-25 ગોળીઓ મારી

પંજાબના અમૃતસરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ગેંગસ્ટર જરનૈલ સિંહની હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક બદમાશોએ જરનૈલ સિંહ પર 20-25 ગોળીઓ ચલાવી હતી, જેમાં જરનૈલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઘટના અમૃતસરના બાબા બકાલા પાસેના સથિયાલા ગામની છે. અહીં કેટલાક લોકોએ જરનૈલ સિંહ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘટના બાદ જરનૈલ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં માસ્ક પહેરેલા લોકો ગોળીઓ ચલાવતા જોવા મળે છે.