GujaratMadhya Gujarat

ભરૂચમાં પત્નીના આપઘાત બાદ પતિએ 10 વર્ષના પુત્રની કરી હત્યા, પોતે પણ ટ્રેન નીચે પડતું મુક્યું

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં આજે ભરૂચથી આવી ઘટના સામે આવી છે. ભરૂચમાં રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. તેમ છતાં આપઘાત પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી. ઘટનાને લઈને જણાવી દઈએ કે, ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ પરથી લાશ મળી આવી હતી. જ્યારે પુત્ર ને ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ અંકલેશ્વર પાસે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

જાણકારી મુજબ, ભરૂચ ના રેલવે કોલોનીમાં સામુહિક આપઘાત ની ઘટના બની છે. આ બાબતમાં મળતી જાણકારી મુજબ, ભરૂચ ની રેલવે કોલોનીમાં રહેનાર એક પરિવાર ગઈકાલ રાત્રીના કોઈ કારણોસર ઝઘડો થયો હતો. આ ઘટના પછી પરિવારમાંથી પત્ની દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો. જ્યારે સૂત્રો મુજબ મળતી જાણકારી મુજબ, પોતાની પત્ની દ્વારા આપઘાત કરી લેતા પતિ રોષે ભરાઈ ગયો હતો. તેના પછી રોષે ભરાયેલા પતિ દ્વારા પોતાના પુત્રની હત્યા કરી નાખી અને પોતે ટ્રેન નીચે પડતું મૂકી ને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટનાને લઈને વધુ જણાવી દઈએ કે, આ ત્રણેય મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે આ દરમિયાન આ ત્રણેય મૃતકના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હ્રદય ફાટરુદનના  કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનો આવ્યા બાદ રેલવે પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે ની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટનાને લઈને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આ મામલામાં તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, જતીન મકવાણા, કૃપલ બેન મકવાણા અને 10 વર્ષીય બાળક વિહાન મકવાણા નું મૃત્યુ નીપજ્યું છે.  મૃતકના નામ ની વાત કરીએ તો જેમાં જતીન મકવાણા, કૃપલ બેન મકવાણા અને 10 વર્ષીય બાળક વિહાન મકવાણા નો સમાવેશ થાય છે.