IndiaNews

જો ક્રિકેટ રમતી વખતે બોલ તેમના માથા પર ન વાગ્યો હોત તો ઉદય આજે ના હોત 87,000 કરોડ રૂપિયાના માલિક, જાણો કેમ….

ભારત દેશે 1983નો વર્લ્ડ કપ જીત્યો ત્યારથી દેશમાં ક્રિકેટ ના ડંકા વાગવા લાગ્યા. ક્રિકેટની રમત ભારતમાં એટલી લોકપ્રિય થઈ ગઈ કે લોકો પોતાની ભૂખ અને તરસ ભૂલીને ક્રિકેટ રમતા જોવા મળ્યા છે. આજે ભારતીયો ક્રિકેટના એટલા વ્યસની છે કે ભારતમાં ક્રિકેટને માત્ર રમત જ નહીં પણ એક ધર્મ માનવામાં માંડ્યા છે. આજના જમાનામાં દરેક વ્યક્તિ મોટો થઈને ક્રિકેટર બનવાનું સપનું જોઈ રહ્યો છે.

આ સપનું લઈને ઉદય કોટક (Uday Kotak) નામનો યુવક ક્રિકેટના મેદાન પર આવ્યો, પણ રમતી વખતે બોલ તેના માથા પર વાગ્યો અને તેણે ક્રિકેટ પ્રત્યેનો પોતાનો જુસ્સો છોડી દીધો. ત્યાર બાદ તેઓ યુવાનીમાં બિઝનેસમાં ગયા અને આજે તેઓ 87,000 કરોડ રૂપિયાના માલિક છે.

ઉદય કોટક(Uday Kotak)નો જન્મ મુંબઈમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેઓ સાથે મળીને 60 લોકોનો પરિવાર હતો. એવા સમયે જ્યારે સચિન તેંડુલકર ક્રિકેટના મેદાનમાં ઉભરી રહ્યો ન હતો ત્યારે ઉદય કોટકે રમાકાંત આચરેકર પાસેથી ક્રિકેટ શીખી હતી.

આ 1979ની ઘટના છે. તે સમયે ઉદય કોટક(Uday Kotak) કાંગા લીગમાં ક્રિકેટ રમી રહ્યા હતા. આ લીગની મેચ પ્રતિકૂળ ચોમાસાની સિઝનમાં રમાઈ હતી. ઉદય કોટક નોન સ્ટ્રાઈકર એન્ડ રમી રહ્યા હતા. સ્ટ્રાઈક પર આવેલા ખેલાડીએ શોટ માર્યો અને રન લેવા માટે દોડ્યા, ફિલ્ડર બોલને અટકાવે છે અને તેને સ્ટ્રાઈકરના છેડે ફેંકે છે, પણ બોલ ઉદય કોટકના માથામાં વાગી જાય છે. તેમને ગંભીર ઇજા થાય છે. જેથી ઉદય કોટક મૃત્યુના આરે પડી જાય છે, પણ સર્જરી કરવામાં આવ્યા બાદ ઉદય કોટક સુરક્ષિત રીતે સ્વસ્થ થઈ જાય છે. આ પછી તેમને ક્રિકેટમાં કરિયર બનાવવાનું છોડી દીધું.

(Uday Kotak) ને ઈજા બાદ લાંબા સમય સુધી આરામ કરવો પડ્યો હતો. બાદમાં તેમને મુંબઈમાં એમબીએ પૂર્ણ કર્યું. તેમના શિક્ષણ પછી, તેમણે તેમના પરિવારના કપાસના વ્યવસાયમાં થોડો સમય કામ કર્યું, પણ તેમને તે ગમ્યું નહીં, તેથી તેમને નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો.

તેમને હિન્દુસ્તાન યુનિલિવરમાં સારી નોકરી મળવાની હતી, પણ તેમને પોતાનો વિચાર બદલી નાખ્યો અને બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં, 1985 માં, તેમને મિત્રો પાસેથી ઉધાર લઈને 30 લાખ રૂપિયા એકઠા કર્યા અને પોતાની રોકાણ કંપની શરૂ કરી.

તેમને ટૂંક સમયમાં મહિન્દ્રા ગ્રૂપ સાથે કરાર કર્યો. પછી તેમની રોકાણ કંપની વિસ્તરી. તેમની કંપનીએ બેંકિંગ, વીમો, મ્યુચ્યુઅલ ફંડ અને લોન પૂરી પાડી હતી. તેમણે 2003માં RBI લાઇસન્સ મેળવ્યું અને કોટક મહિન્દ્રા બેંકની સ્થાપના કરી. આ બેંક ઘણી સારી કંપનીઓને લોન આપે છે.

તેમની સ્માર્ટ નીતિના આધારે, ઉદય કોટકે કોટક મહિન્દ્રા બેંકને ભારતની ટોચની દસ બેંકોમાં એક નામ અપાવ્યું. આજે ઉદય કોટક પાસે 87,000 કરોડની સંપત્તિ છે. જો ક્રિકેટના મેદાન પર રમતી વખતે બોલ તેમના માથા પર ન વાગ્યો હોત તો કદાચ ઉદય કોટક ક્રિકેટર બની ગયા હોત, અને આટલા પૈસા ન કમાવી શક્યા હોત.