GujaratSouth GujaratSurat

સુરતમાં ૨૬ વર્ષીય યુવકે ધંધામાં નિષ્ફળ જતા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદી જીવન ટુંકાવ્યું

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં સુરત શહેરથી સમાચાર સામે આવ્યા છે,  સુરતમાં 26 વર્ષીય યુવક દ્વારા બિલ્ડિંગ ના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જાણકારી સામે આવી છે કે, અલગ-અલગ ધંધા અને ઓનલાઇન ધંધામાં નિષ્ફળતા જતા યુવક દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો. બિલ્ડીંગના પાછળના ભાગેથી બેભાન હાલતમાં મળી આવતા યુવકને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલી ના હરીપુરાના વતની અને યોગીચોક સાવલીયા સર્કલ શિવ પૂજન એપાર્ટમેન્ટમાં રહેનાર અંકિતભાઈ મનહરભાઈ પાદરીયા આપઘાત કરવામાં આવ્યો છે. અંકિતભાઈ મનહરભાઈ દ્વારા અનેક ધંધાઓમાં નિષ્ફળતા બાદ ઓનલાઈન વેપાર શરુ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ધંધો નિષ્ફળ રહેવા ના લીધે તે નિરાશ થઈ ગયા હતા. અંતે રાત્રી ના ઘરે ન આવતાં પરિવાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં કોઈ જાણકારી મળી નહોતી.

એવામાં એપાર્ટમેન્ટના પાછળના ભાગ માંથી અંકિતભાઈ બેભાન હાલતમાં મળી આવતા તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખસેડવામાં જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસ ટીમની હોસ્પિટલમાં આવી પહોંચી અને આ મામલામાં તપાસ હાથ ધરી હતી.  જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં અકિતભાઈ દ્વારા ટેરેસ પરથી ચોથા માળેથી પડતું મુકી આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.