IndiaNews

ઉત્તરાખંડમાં રીંછના ડ્રેસમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે ITBP જવાનો, કારણ જાણીને ચોંકી જશો

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના દીદીહાટમાં વાંદરાઓના ત્રાસને કારણે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. વાંદરાઓ માત્ર ખેતરોને જ નુકસાન પહોંચાડતા નથી પરંતુ લોકો પર પણ હુમલો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ITBP જવાનોએ વાંદરાઓને જનતાથી દૂર કરવા માટે એક અનોખો આઈડિયા લઈને આવ્યો છે. આઈટીબીપીના જવાન રીંછનો ડ્રેસ પહેરીને આઈટીબીપી કેમ્પસમાં ફરે છે. આવી સ્થિતિમાં વાંદરાઓ તેમને રીંછ સમજીને જંગલ તરફ ભાગી જાય છે.

ITBP ના જવાનો મિર્થી ખાતે તૈનાત છે. અહીં વાંદરાઓ જવાનોને પરેશાન કરી રહ્યા છે. વાંદરાઓ ક્યારેક જવાનોની બેરેકમાં ઘૂસી જાય છે તો ક્યારેક નુકસાન પહોંચાડે છે. ઘણા જવાનો આખો દિવસ વાંદરાઓને ભગાડવામાં વ્યસ્ત રહે છે. વાંદરાઓ થોડા સમય માટે દૂર જતા રહ્યા, પરંતુ થોડી જ વારમાં પાછા આવી ગયા. ITBP જવાનોએ વાંદરાઓને દૂર રાખવા માટે રીંછ જેવો ડ્રેસ તૈયાર કર્યો છે. જ્યારે બેથી ત્રણ જવાન કાળો ડ્રેસ પહેરીને આઈટીબીપી પરિસરમાં ફરતા હોય છે ત્યારે વાંદરાઓ ડરીને ભાગી જાય છે. ITBP જવાનોની આ અનોખી રીતથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં આવનાર મોકા સાયક્લોનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

જિલ્લામાં વાંદરાઓના કારણે લોકો માટે ખાદ્યપદાર્થો ધાબા પર સૂકવવા પણ એક પડકાર છે. વાંદરાઓ રોજ સામાન લઈ જાય છે. આવી સ્થિતિમાં દીદીહાટના પ્રભાત જોશીએ વાંદરાઓને ભગાડવા માટે પોતાના ઘરની છત પર પૂતળું બનાવ્યું છે. માનવી જેવો દેખાડવા માટે તેને કપડાં અને ચંપલ પહેરાવવામાં આવ્યા છે. ખુરશીમાં બેઠેલા પૂતળાના હાથમાં એક મોટી લાકડી પણ છે, જેને જોઈને વાંદરાઓ છતની આસપાસ ભટકતા નથી.

વાંદરાઓની સમસ્યા માત્ર સરહદી જિલ્લાઓને જ નહીં પરંતુ રાજ્યભરના અન્ય જિલ્લાઓમાં રહેતા લોકોને પણ પરેશાન કરી રહી છે. હાલ રાજ્યભરમાં એક લાખ 10 હજારથી વધુ વાંદરાઓ હાજર છે.

આ પણ વાંચો: ઘોર કળયુગ; નરાધમ પુત્ર સગી જનેતા પર આચરતો હતો દુષ્કર્મ