International

જાણો લંડનનું સ્વામિનારાયણ મંદિર કેવી રીતે તૈયાર થયું ? કોણે કરી હતી અક્ષરપુરુષોત્તમ મહારાજની સ્થાપના ?

અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે, ત્યારે લંડનના બનાવવામાં આવેલ બીએપીએસ સંસ્થા દ્વારા નિર્માણ પામેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરના અને ભક્તો દ્વારા સત્સંગના વિકાસના ઇતિહાસ વિશે આપણે વિસ્તારપૂર્વક આજે માહિતી મેળવીએ.

યુકેમાં બીએપીએસ ના બીજ છેલ્લી સદીના મધ્ય સમયમાં વાવવામાં આવ્યા હતા. જ્યારે 1950 માં શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી મહેન્દ્રભાઈ પટેલ પુરુષોત્તમભાઈ પટેલ અને અન્ય કેટલાક ભક્તો સત્સંગ અર્થે પ્રસંગોપાત લંડનમાં મળવા લાગ્યા. 1950 ના દાયકામાં લંડનમાં સમય મુશ્કેલીભર્યો હતો. શરૂઆતના સમયમાં ભારતીય ભોજન તૈયાર કરવું પણ મુશ્કેલ હતું. લીલા, શાકભાજી, કઠોળ અને અનાજ આવવું પણ ત્યાં મુશ્કેલ હતું. ઘણા ભક્તો મહિનાઓ સુધી રોટલી અને ચા પર જ જીવવાની વાત કરે છે.

સ્વામિનારાયણ હિન્દુ મિશન, લંડન ફેલોશીપ સેન્ટર ના નામ હેઠળ નોંધાયેલું હતું:-1959માં ઉનાળામાં સત્સંગ મંડળ માટે બંધારણ ગણવામાં આવ્યું હતું અને સ્વામિનારાયણ હિન્દુ મિશન લન્ડન ફેલોસીપ સેન્ટરના નામ હેઠળ નોંધાયું હતું. મિશનના અધ્યક્ષ તરીકે ડી.ડી.મેઘાણી અને ઉપાધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ બેરિસ્ટ, જ્યારે સેક્રેટરી તરીકે પ્રફુલભાઈ પટેલ, ખજાનચી તરીકે ચંદ્રકાંતભાઈ બેરિસ્ટર અને સેક્રેટરી તરીકે પ્રફુલભાઈ ધુપેલીયા અને નવીનભાઈ સ્વામિનારાયણ ને તેમની આધ્યાત્મિક વાતો અને અનુભવોથી સત્સંગ સભાઓનું જ્ઞાન કરાવ્યું હતું.

સપ્ટેમ્બર 1959માં ગુલઝારીલાલ નંદા યુરોપના પ્રવાસ સમયે લંડન મુલાકાતે આવ્યા હતા. યોગીજી મહારાજે તેમના સન્માનમાં સત્કાર સમારંભનો આયોજન કરવા ભક્તોને પત્ર લખ્યો હતો સેન્ટ્રલ લંડન વેગા રેસ્ટોરન્ટમાં આયોજિત આ પ્રથમ જાહેર સત્સંગમાં 100 કરતા પણ વધુ મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

યોગીજી મહારાજના નિયમિત પત્રોને વિદ્વાન ભક્તોની મુલાકાત દ્વારા કેન્દ્રનું પોષણ થતું હતું. મોંમ્બાસા (કેન્યા) ના રવિભાઈ પંડ્યાએ અવારનવાર લંડન બિઝનેસ ટ્રીપ પણ કરી હતી અને પોતાની વાતોથી ભક્તોને પ્રેરણા પણ આપી હતી. 1962માં નેરોબી ના હરમાનભાઈ પટેલ સત્સંગને એકીકૃત કરવા માટે ભક્તોને પ્રોત્સાહિત કરવા નહીં તો થી લંડન ગયા હતા.

1964માં નવીનભાઈ સ્વામિનારાયણ ની માંચેસ્ટરમાં સત્સંગ સભાની શરૂઆત કરી. 1970 માં યોગીજી મહારાજની પૂર્વ આફ્રિકાની મુલાકાત સમયે લંડન ભક્તો તેમને લંડન પધારી કૃપા કરવા આમંત્રણ આપ્યું. યોગીજી મહારાજે તેમને કહ્યું કે જો તેઓ મંદિર માટે જગ્યા મેળવે તો પોતે આવશે ટોરોરો ( યુગાન્ડા) માં લંડન ભક્તો અને યોગીજી મહારાજે ટેલીફોનિક ઐતિહાસિક વાતચીત થઈ.

યોગીજી મહારાજના આશીર્વાદ મેળવી ભક્તોએ યોગ્ય સ્થળ માટે લંડન માં શોધખોળ શરૂ કરી. ત્યાર પછી મંદિરની સ્થાપના માટે ભક્તોની સંખ્યા ઓછી હતી પરંતુ યોગીજી મહારાજે લંડન બોલાવવાની ભક્તોની ઈચ્છાએ તેમના પ્રયત્નને પ્રેરણા આપી. સ્વામીજીની ઈચ્છાથી મંદિર બનાવવા માટે ચર્ચ ખરીદવામાં આવ્યું હતું. યોગીજી મહારાજ 23 મે 1970 ના રોજ લંડન પધાર્યા.

તેમના આગમન પર યોગીજી મહારાજે તેમના આશીર્વાદમાં કહ્યું હતું કે લંડન અમારી પાસે ત્રણ બાબતો સિદ્ધ કરવી છે. એક તો શાસ્ત્રીજી મહારાજ પાઠવવા જેથી કરીને દરેક વ્યક્તિ દેશમાં સુખી રીતે જીવી શકે, મંદિરનું ઉદ્ઘાટન કરવું અને મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવી. ભવિષ્યમાં એક વિશાળ મંદિર બનશે. સરકાર છોડી જમીન આપશે અને તમે મંદિર બનાવશો. આ શ્રીજી મહારાજના આશીર્વાદ છે.

લંડન માં ચર્ચનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને પશ્ચિમ વિશ્વમાં પ્રથમ સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન રવિવાર 14 જૂન 1970 ના રોજ યોગીજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. ચર્ચની પુના સ્થાપના અને પુનઃ સુશોભિત કર્યા પછી શાસ્ત્રીજી મહારાજ દ્વારા પવિત્ર કરાયેલી અને પ્રભુદાસ લાલજીને આપવામાં આવેલી પવિત્ર મૂર્તિઓ કંપાલા (યુગાન્ડા) થી લાવવામાં આવી હતી.

એક યોગ્ય કરાયો હતો અને હજારો લોકો શોભાયાત્રાણા સાક્ષી બન્યા હતા. ત્યારબાદ નવા મંદિરમાં મૂર્તિઓ અને આનંદપૂર્વક સ્થાપિત કરવામાં આવી હતી યોગીજી મહારાજે ઉત્સાહપૂર્વક આશીર્વાદ દર્શાવતા કહ્યું હતું કે એક દિવસ આ મંદિર ભક્તોને સમાવવા માટે ખૂબ જ નાનું પડશે સમગ્ર લંડનમાં સત્સંગ ખીલશે. એક મહાન શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરવામાં આવશે અને લાખો લોકોને ફાયદો થશે.

ઇસલિંગટનના મંદિરમાં પ્રમુખસ્વામી અક્ષરપુરુષોત્તમ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ અને ગુરુ પરંપરા ની પેઈન્ટેડ મૂર્તિઓ સ્થાપિત કરી:-
1972માં યુગાન્ડામાંથી હાંકી કાઢવામાં આવેલા હજારો શ્રદ્ધાળુ અને ભારતીય ઇંગ્લેન્ડ સ્થળાંતરિત થયા. ઇસ્લિંગ્ટન, મંદિર ભક્તોની સતત વધતી જતી ભરતીને સમાવી શક્યું ન હતું 1974 માં ઇસ્લિંગ્ટન મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજે વિધિપૂર્વક અક્ષરપુરુષોત્તમ મહારાજ શ્રી રાધાકૃષ્ણ અને ગુરુ પરંપરાની મૂર્તિ પ્રિન્ટેડ મૂર્તિઓ સ્થાપિત કરી હતી 1972 ના યુગાન્ડાના હકાલ પટ્ટી ના થોડા સમય પહેલા ટોરોરો મંદિરમાંથી મેળવવામાં આવી હતી.

ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી, તેમજ શાસ્ત્રીજી મહારાજ ની દ્રષ્ટિ અને યોગીજી મહારાજના આશીર્વાદ દ્વારા નિષડનમાં 2.25 એકર ની નવી જગ્યા હસ્તગત કરવામાં આવી હતી. મંદિર અને એસેમ્બલી હોલ બનાવવા માટે ફેક્ટરી ની જગ્યાનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું.

20 જુલાઈ, 1980 ના રોજ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ભૂમિપૂજન સમારોહ કરવામાં યોજવામાં હતો. 1982 માં પ્રમુખસ્વામી મહારાજે નિસડનમાં નવા મંદિરનો ઉદ્ઘાટન સમારોહ કર્યો હતો. આ સમયની આસપાસ જ સ્વામીશ્રીએ સૌપ્રથમ લંડનમાં પરંપરાગત શિખરબદ્ધ મંદિર બનાવવાનો વિચારનો પ્રસ્તાવ રાખ્યો હતો.

લન્ડનના વાર્ષિક અન્નકૂટ ઉત્સવમાં હજારો ભક્તો અને શુભેચ્છકો દર્શન માટે આવ્યા :-
1984 માં ઉત્તર-પશ્ચિમ લંડનમાં હેરોમાં નવા મંદિર માટે 4.5 એકર જમીનનો ઘણો મોટો પ્લોટ હસ્તગત કરવામાં આવ્યો હતો, પરંતુ ડિસેમ્બર 1986 માં પર્યાવરણ વિભાગ દ્વારા આયોજનની પરવાનગીનો ઈન્કાર કરાયો હતો. 1985 માં લંડનમાં એલેક્ઝાન્ડ્રા પેલેસના મેદાનમાં ભારતનો સાંસ્કૃતિક ઉત્સવ ઉજવાયો હતો. લંડનમાં વાર્ષિક અન્નકુટ ઉત્સવ દરમિયાન હજારો ભક્તો અને શુભેચ્છકો નીસડેન મંદિરમાં દર્શન માટે આવ્યા.

1990 માં તે સામે આવ્યું આવ્યું કે મેડો ગર્થ પર હાલના મંદિરની સામે આવેલ આર્લિંગ્ટન ગેરેજ અને વેરહાઉસ વેચાણ માટે મૂકવામાં આવ્યું હતું. સ્વામીશ્રીએ ભક્તોને પૂછપરછ કરવા કહ્યું અને આખરે સ્વામીશ્રીની સૂચના પર તે ઉનાળાના અંતમાં સાઇટ ખરીદવામાં આવી. 7 જુલાઈ, 1991 ના રોજ સ્વામીશ્રીએ શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ કર્યો.

નવેમ્બર 1992 માં નવા મંદિરનું કામ શરૂ થયું. 2.5 વર્ષમાં સેકડો સ્વયંસેવકોના પ્રયત્ન દ્વારા પરંપરાગત પથ્થર વાળું શિખરબદ્ધ મંદિર નું નિર્માણ થયું. બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર લંડનનું ઉદ્ઘાટન પ્રમુખસ્વામી મહારાજ દ્વારા 20 ઓગસ્ટ 1995 ના રોજ છ દિવસીય મંદિર મહોત્સવની ઉજવણીના ભાગ સ્વરૂપે કરવામાં આવ્યું હતું.

ત્યાર પછી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અનેકવાર લંડનમાં પધારીને હરિભક્તોને સત્સંગનો સુખ આપ્યું હતું. વર્તમાન ગુરુહરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ વર્ષ 2017 માં લંડનમાં પધારીને સત્સંગનો લાભ આપ્યો હતો. વિશેષમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે લંડનમાં પણ વિવિધ કાર્યક્રમો જીવા કે ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પીરેશન, મ્યુઝિકલ ટ્રીબ્યુટ વગેરે કરવામાં આવ્યા હતા.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે