NavsariSouth Gujarat

રાજ્યમાં વધુ એક પોલીસ જવાને કર્યો આપઘાત, કારણ જાણીને તમે પણ વિચારમાં પડી જશો

રાજ્યમાં આપઘાતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત પોલીસના વધુ રક જવાને આપઘાત કરીને પોતાનું જીવન ટુંકાવ્યુ હોવાની બાબત સામે આવી છે. નવસારી જિલ્લામાં ગળાફાંસો ખાઈને પોલીસ જવાને પોતાનું જીવન ટુંકાવી લીધુ છે. પોલીસ જવાને આપઘાત કરી લેતા તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સંજય પટેલ નામનો પોલીસ જવાન નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ, PSO અને બીટ જમાદાર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે આજ રોજ આ પોલીસ જવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જાણકારી અનુસાર છેલ્લા ઘણા સમયથી સંજય પટેલ ખૂબ જ બિમાર હતો. અને આ બીમારી પણ આ પોલીસ જવાનના આપઘાતનું કારણ હોઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, પોલીસ જવાને આપઘાત કરી લેવાની ખબરને કારણે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં તો સામે આવ્યું છે કે પોલીસ જવાન ઘણા સમયથી બીમાર હોવાના કારણે તેણે આ પ્રકારનું પગલું ભર્યું હોઈ શકે છે. જો કે, હાલ તો પોલીસે સંજય પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તો બીજી બાજુ સંજય પટેલનાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે