SaurashtraGujarat

ભાવનગરના તળાજા હાઈવે પર એસટી બસનો સર્જાયો ભયંકર અકસ્માત, બસ કંડક્ટરનું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટોવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ભાવનગરથી સામે આવ્યો છે.

જાણકારી મુજબ, ભાવનગરના તળાજા તાલુકાના ત્રાપજ બંગલા નજીક એસટી બસનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એસટીની બસ વડોદરાથી દિવ તરફ જઈ રહી હતી તે સમયે તેનો અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાયવર દ્વારા અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો.

ઘટનાને લઈને જણાવી દઈએ કે, એસટી બસ રોડની સાઈડમાં બનાવેલા જાહેર ટોયલેટ સાથે ટકરાઈ જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ અકસ્માત ના લીધે ડ્રાઈવર ની બાજુની સાઈડ ની ભાગનો કુચ્ચો થઈ ગયો હતો. તેની સાથે આ અકસ્માતમાં બસના કંડકટરનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. એસ ટીમાં સવાર પાંચથી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની જાણકારી સામે આવી છે. અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર તેમજ તળાજા ખસેડાયા છે. ઘટનાની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા અકસ્માતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.