GujaratJamnagarSaurashtra

પ્રખ્યાત ખાનગી સ્કૂલના આચાર્યે સગીર વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ, જાણો શું છે સમગ્ર મામલો?

જામનગરના શિક્ષણ જગતમાં શર્મનાક ઘટના સામે આવી છે. જામનગર શહેરની એક શાળાના આચાર્ય દ્વારા સગીરા વિદ્યાર્થી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની સામે આવ્યું છે. આચાર્ય વિરુદ્ધ જામનગર શહેરનાના સીટી-બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા શિક્ષકની વડોદરા ખાતેથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ પ્રાપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરની એક ખાનગી શાળાના પૂર્વ પ્રિન્સિપાલ દ્વારા શાળામાં જ અભ્યાસ કરનાર વિદ્યાર્થિની પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ દ્વારા આ આચાર્યને વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યો છે. આચાર્યને જામનગર કોર્ટમાં રિમાન્ડની માગ સાથે રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જામનગરીની શાળામાં ચાર વર્ષ આચાર્ય તરીકે નોકરી કરતા મનીષ બુચ નામના આચાર્ય દ્વારા પોતાની જ શાળામાં અભ્યાસ કરનાર એક 15 વર્ષીય વિદ્યાર્થિની પર અવારનાવર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બાબતમાં તાજેતરમાં જામનગરની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આચાર્ય મનીષ બુચ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જામનગર પોલીસ દ્વારા મનીષ બુચ સામે ગુનો નોંધ્યા બાદ તપાસ શરુ કરી હતી. તેનું લોકેશન વડોદરામાં મળી આવતા જામનગર અને વડોદરા પોલીસ દ્વારા મળીને વડોદરામાંથી મનીષ બુચને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ આચાર્યને પોલીસ દ્વારા જામનગર લાવવામાં આવ્યા હતા. મનીષ બુચને ગઈ કાલના 14 દિવસના રિમાન્ડની માગ સાથે જામનગર કોર્ટમાં રજૂ કરવામાં આવતા જામનગર કોર્ટ દ્વારા પ્રિન્સિપાલના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.