VadodaraGujarat

વડોદરામાં ફ્રૂટનાં વેપારીની હત્યા મામલે થયો મોટો ખુલાસો, જાણો કોણે કરી હતી હત્યા…

વડોદરાના કાસમ આલા કબ્રસ્તાન પાસે થોડા દિવસ પહેલા એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ હત્યા કેસનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. મૃતકની પત્ની ને પામવા પ્રેમી દ્વારા સોપારી આપી હત્યા કરાવી હત્યારાને પાંચ  હજાર આપી અન્ય દેવું ઉતારી દેવા ની લાલચ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા સોપારી આપનાર પ્રેમી ઝીશાન ની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ મામલામાં પોલીસ સખ્તાઈથી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલામાં ડીસીપી ઝોન-4 પન્ના મોમાયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આરોપીની સખ્તાઈથી પૂછપરછ કરવામાં આવતા ગુલઝાર દ્વારા કબુલાત કરવામાં આવી હતી અને તેના દ્વારા જીશાન જાહેદહુસેન પઠાણને આ કામગીરી સોંપવામાં આવી હતી. સમગ્ર મામલામાં જીશાન ની પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, મારે નજીમ ની પત્ની સાથે પ્રેમસંબંધ રહેલો હતો અને મે ભાગી જઈને નજીમ ની પત્નીને લગ્ન કરવાની વાત જણાવી હતી.

આ મામલામાં જીશાન દ્વારા એ પણ કબુલાત કરવામાં આવી હતી કે, તેને નજીમ ની પત્ની સાથે પ્રેમ સંબંધ રહેલો હતો. નજીમની હત્યા કરવા માટે મેં ગુલઝારને તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પૈસાની લાલચ આપીને હત્યા કરવાની સોંપારી આપવામાં આવી હતી. જેમાં તેને પાંચ હજાર જેટલા રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. આ સિવાય તેનું અન્ય દેવું ઉતારી દેવાની લાલચ આપવામાં આવી હતી.