GujaratRajkotSaurashtra

ગોંડલ સબ જેલમાં જેલમાં બે કેદીઓએ એસિડ પીને આપઘાતનો કર્યો પ્રયાસ

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં રાજકોટના ગોંડલથી સામે આવી છે. ગોંડલની સબ જેલમાં કેદીઓ દ્વારા એસિડ પીને આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા જ જેલર સહિતના અધિકારો ઘટનાસ્થળ પર દોડી આવ્યા અને તાત્કાલિક બંને કેદીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ મોકલી દેવાયા હતા.

જાણકારી મુજબ ગોંડલ તાલુકામાં આવેલી સબ જેલમાં કાચા કામના બે કેદીઓ દ્વારા એસિડ પી લેવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે કે, ત્રિલોકીરામ ચમાર અને કામેશ્વરપ્રસાદ વિરપ્રસાદ નામના કાચાકામના કેદીઓ દ્વારા એસિડ પી લેવામાં આવ્યું છે. જેલના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાફ-સફાઈ કામ માટે રાખવામાં આવેલ એસિડ કેદીઓ દ્વારા પી લેવામાં આવ્યું હતું.

ઘટનાની જાણકારી મળતા જ જેલર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા અને બંને કેદીઓને તાત્કાલિક રાજકોટ સિવિલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. એવામાં હવે બે કેદીઓ દ્વારા એસિડ પી લેતા જેલર સહિત સત્તાધારીઓ સામે સવાલ ઉભા થયા છે. સબ જેલમાં એસિડ કેદીઓ સુધી પહોંચ્યું કેવી રીતે તેને લઈને સવાલ ઉભા થયા છે.