BollywoodIndiaNews

Vaibhavi Upadhyay Accident : જાણીતી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન, કાર ખીણમાં પડી, મંગેતર પણ તેની સાથે હતો

Vaibhavi Upadhyay Accident: ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’માં જાસ્મિનનો રોલ કરનાર વૈભવી ઉપાધ્યાય (Vaibhavi Upadhyay)નું કાર અકસ્માતમાં નિધન થયું હતું. આ દુઃખદ અકસ્માત હિમાચલ પ્રદેશમાં મંગળવારે સવારે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ચંદીગઢમાં રહેતો તેનો પરિવાર મૃતદેહને લઈને મુંબઈ પહોંચી રહ્યો છે, જ્યાં બુધવારે સવારે તેના અંતિમ સંસ્કાર થવાના છે. નિર્માતા અને અભિનેતા જેડી મજેઠિયાએ આ સમાચારની પુષ્ટિ કરી છે.

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ વૈભવી ઉપાધ્યાય(Vaibhavi Upadhyay)નું કાર અકસ્માતમાં નિધન થયું છે. તે ‘CID’ અને ‘અદાલત’ જેવા ઘણા શોનો ભાગ રહી ચુકી છે. જોકે તે ‘સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ’ માટે વધુ જાણીતા છે. તેણે આ શોમાં જાસ્મિનનું પાત્ર ભજવ્યું હતું. વૈભવીના મૃત્યુના સમાચાર સાંભળતા જ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’માં સાથે કામ કરનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પણ સોશિયલ મીડિયા પર આ સમાચાર સાંભળીને દુઃખ વ્યક્ત કર્યું છે.

નિર્માતા-અભિનેતા જેડી મજેઠિયાએ કહ્યું, ‘મને આઘાત લાગ્યો છે. તે ખૂબ જ સારા હૃદયની એક તેજસ્વી અભિનેત્રી હતી. તેમના અંતિમ સંસ્કાર વિશે વાત કરતા, તેમણે કહ્યું કે ચંદીગઢ નજીક અકસ્માત થયો હતો અને પરિવાર તેમના મૃતદેહ સાથે મુંબઈ પહોંચી રહ્યો છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તે તેના મંગેતર સાથે કારમાં હતી જ્યારે રોડ પર વળાંક લેતી વખતે કાર ખીણમાં ખાબકી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે