રાજ્યમાં ધીરે-ધીરે કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. કેમકે દિવસે-દિવસેને કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ચિંતાવધારનાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 364 કોરોનાના કેસ સામે આવ્યા છે. સોમવાર કરતા મંગળવારના કેસોમાં વધારો જોવા મળ્યો છે. સોમવારના રાજયમાં 212 કોરોનાના કેસ સામે આવ્યા હતા.
તેની સાથે અમદાવાદવાસીઓને ચિંતા કરવાની જરૂર છે કેમકે અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 148 કેસ સામે આવ્યા છે જેમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. જ્યારે મહેસાણામાં 36 કેસ નોંધાયા છે. આ સિવાય વડોદરામાં 40, સુરતમાં 36, પાટણમાં 15, વલસાડમાં 11, આણંદ અને ભરૂચમાં 9-9, રાજકોટમાં 11, ગાંધીનગરમાં 9, સાબરકાંઠામાં 9, મોરબી અને નવસારીમાં પાંચ-પાંચ, કચ્છમાં 4, ગીર સોમનાથમાં 2, અમરેલીમાં, સુરેન્દ્રનગર, મહીસાગર, પોરબંદરમાં 1-1 કોરોનાનો કેસ નોંધાયો છે.
- પ્રેમમાં પાગલ રાજકોટના યુવકે અમદાવાદની 19 વર્ષીય વિદ્યાર્થિનીના અંગત ફોટો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યા, છોકરીએ નોંધાવી પોલીસ ફરિયાદ
- Budget 2025: હવે 12 લાખ સુધીની આવક કરમુક્ત, બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત
- Mahakumbh માં ભાગદોડમાં 17 થી વધુ લોકોના મોત, એમ્બ્યુલન્સ દ્વારા સતત મૃતદેહોને લઈ જવામાં આવી રહ્યા છે
- મૌની અમાવસ્યાના દિવસે કયા સમયે મહાકુંભ સ્નાન કરવું જોઈએ અને દાન કરવું જોઈએ? શુભ મુહૂર્ત જાણો
ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો હાલમાં ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1947 રહેલા છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર રહેલા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો આંકડો 12 લાખ 72 હજાર 480 લોકો થયો છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 11 હજાર 63 લોકોના મોત નીપજ્યા છે. ગુજરાતનો રિકવરી રેટ 98.99 ટકા રહ્યો છે. આ બધાની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 348 લોકો સાજા થયા છે.