GujaratRajkotSaurashtra

પરિણીત મહિલાને પ્રેમ કરવો યુવકને પડ્યો ભારે….

રાજકોટથી પતિ-પત્ની ઔર વોમાં પ્રેમીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા પાસે ભાદર નદીનાં કાઠેથી એક યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. જ્યારે હવે ઘટનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. યુવકની તેની જ પ્રેમિકા અને પ્રેમિકાનાં પતિ દ્વારા સહિતનાઓએ મળી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાને અંજામ આપનાર પ્રેમિકા તેના પતિ સહિત ત્રિપુટીની ધરપકડ કરી લેવામાં આવી છે.

તમને આ અગાઉ અનેક ઘટનાઓ જોઈ હશે જેમાં પ્રેમી અને પ્રેમિકા સાથે મળી પ્રેમિકાના પતિની હત્યા કરી હોય. પરંતુ રાજકોટમાં એક અલગ પ્રકારની જ ઘટના સામે આવી છે જેમાં એક પ્રેમિકા દ્વારા પતિ સાથે મળી પ્લાન બનાવી તેના જ પ્રેમીની પતિ સાથે મળી હત્યા કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ગત 26 માર્ચના રોજ ભાદર નદી નાં કાઠે થી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જેનું ફોરેન્સિક પીએમ કરાવતા યુવકને ગળા અને પેટના ભાગમાં તિક્ષણ હથિયાર તેમજ માથાના ભાગમાં હેમરેજ જેવી ઈજાનાના લીધે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃત્યુની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન યુવક ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામનો શીવાભાઈ ચોસાભાઇ દૂધવાળા હોવાની જાણકારી સામે આવી હતી. તેના પરિવારજનોની પૂછપરછમાં મૃતક શિવાને મૂળ મધ્યપ્રદેશની અને હાલ જામકંડોરણા ના દુધીવદર ગામમાં વાડીમાં ખેત મજૂરી કામ કરનાર રેશ્મા સાથે નવ મહિના પ્રેમ સંબંધ બંધાયો હતો. તે બાબતની જાણ રેશમાના પતિને થતા તે હેરાન કરી રહ્યો હતો.

પોલીસને આ વાત ની જાણકારી મળતા રેશમા અને તેના પતિ હરતિયા ડાવર અને મુકેશ ડાવરની પૂછપરછ શરુ કરી હતી. આ દરમિયાન ત્રણે જણે આ ગુનો સ્વીકારી લીધો હતો. પોલીસ સમક્ષ કબૂલાત કરતા જણાવ્યું કે, મૃતક શિવો અને રેશમા પ્રેમસંબંધમાં રહેલા હતા અને તે એક વર્ષ અગાઉ રેશ્માને જુનાગઢ બસ સ્ટેન્ડથી ભગાડી ગયો હતો અને તે સમયે એક મહિનો સાથે પણ રહ્યા હતા. ત્યાર બાદ રેશમા પતિના ઘરે પરત આવી ગઈ હતી. તેમ છતાં રેશમા પતિને તેનો ખાર રહી ગયો હતો. એવામાં રેશમાનાં પતિ હરતિયાએ રેશમા પાસે શિવાને ફોન કરાવી પતિ હેરાન કરે છે તેમ કહીને તેડી જવા માટે ગત 22 માર્ચના રોજ ફોન કરાવ્યો હતો.

એવામાં પ્રેમમાં અંધ બનેલ શિવો રેશમા ને તેડવા માટે ગયો તે સમયે છરી અને કુહાડી નાં ઘા ઝીંકી આ ત્રિપુટીએ મોત ને ઘાટ ઉતારી  દીધો અને ત્યાર બાદ શિવા ની લાશ ભાદર ડેમમાં ફેંકી દીધેલી હતી. હાલમાં પોલીસ દ્વારા રેશમા સહીત ત્રિપુટી ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.