AhmedabadGujaratMadhya Gujarat

કોરોનાના બેકાબુ થતા અમદાવાદ મ્યુલીસીપલ કોર્પોરેશને લીધો મોટો નિર્ણય, શહેરીજનો થશે પરેશાન

અમદાવાદ શહેરમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ પર આવી ગયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર જોતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદ મનપાના સ્વાસ્થ્ય અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં અમદાવાદમાં BRTS અને AMTC ની બસોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં BRTS અને AMTC ની બસો હવે 50 ટકા ક્ષમતા સાથે ચલાવવામાં આવશે.

અમદાવાદ મનપા દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર શહેરમાં કોરોના કેસમાં વધારો થતા 6 જાન્યુઆરી એટલે કે ગુરૂવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસો 50 ટકા ક્ષમતા સાથે ચલાવવામાં આવશે. તેની સાથે તમામ મુસાફરોએ મુસાફરી માસ્ક દરમિયાન ફરજીયાત પહેરવું પડશે. જ્યારે જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લીધા નથી તેને બસમાં પ્રવેશ અપાશે નહીં. બસમાં મુસાફરી દરમિયાન તમામ લોકોએ કોરોના નિયમોનું પાલન આવશ્યક રહેશે.

જ્યારે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેના લીધે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. અમદાવાદ શહેરમાં પણ એવા ઘણા લોકો રહેલા છે જેમના દ્વારા હજુ પણ કોરોનાની વેક્સીનનો બીજો ડોઝ લેવામાં આવ્યો નથી. તેમ છતાં હવે જે લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી તેને રસી આપવા માટે મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મનપા દ્વારા કોરોનાની રસીનો બીજો ડોઝ ન લેનારા લોકો માટે પોલીસની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જે લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી તેનો ડેટા કોર્પોરેશન દ્વારા પોલીસને સોંપી દેવામાં આવશે. ત્યારબાદ પોલીસ દ્વારા આ લોકોને બીજો ડોઝ લેવા માટે ફોન કરવામાં આવશે.કોરોનાને અટકાવવા માટે કોરોનાની રસીનો ડોઝ લેવો જરૂરી છે જ્યારે શહેરમાં અંદાજે છ લાખ જેટલા લોકો દ્વારા રસીનો રસીનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો છે તેમ છતાં બીજો ડોઝ લેવામાં આવ્યો નથી. હવે અમદાવાદ મનપા દ્વારા પોલીસની મદદ લેવામાં આવશે.

અમદાવાદ કોર્પોરેશનમાંથી આવતા 7 ઝોન મુજબ આવનારા પોલીસ સ્ટેશનમાંથી લોકોને રિમાઇન્ડર કોલ કરાશે. પોલીસ દ્વારા આ લોકોને કોલ કરીને રસીનો બીજો ડોઝ લેવા માટે કહેવામાં આવશે.અમદાવાદમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં આજે સૌથી વધુ ૧૬૩૭ કેસ નોંધાયા છે. અમદાવાદમાં તેમ છતા આજે કોરોનાની સારવાર દરમિયાન 52 દર્દીઓ અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર દરમિયાન સાજા થયા હતા. જે અમદાવાદની મનપામાં સતત વધારો કરી રહ્યા છે.