અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે આવ્યા મોટા સમાચાર, AMC એ લીધો મોટો નિર્ણય
હાલમાં અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે સાથે સાથે હવે કોરોનાનો નવો વેરિયંટ ઓમીક્રોનના કેસોમાં પણ વધારો થયો છે. શહેરમાં કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા દર્દીઓને હોમઆઇસોલેશન કરવામાં આવી રહ્યા છે. અને કોરોના ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે કોરોના વેક્સિનેશન પણ ઝડપી કરવામાં આવી રહ્યું છે.
જે હાલમાં ખાસ કરીને કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થવાની સંભાવના વચ્ચે 15 થી 18 વર્ષના બાળકોને ધ્યાનમાં રાખીને વેક્સિનેશન તેજ કરવામાં આવ્યું છે. જેથી વધુમાં વધુ બાળકોને વેક્સીન આપી શકાય જેથી આ સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને પણ સુરક્ષિત રાખી શકાય.જો કે હાલમાં કોરોના નવા વેરિયંટને લઈને કેસો વધી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે તેમને વધુ અને ઝડપી સુવિધાઓ મળી રહે તેને ધ્યાનમાં રાખીને “સંજીવની કોરોના ઘર સેવા” શરૂ કરવામાં આવી છે.
જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટીમ દ્વારા સમયાંતરે મુલાકાત લઇ તેઓની તબિયતનું ચેકીંગ કરે છે, અને દર્દીઓમાં જરૂરી વાઇટલ ચકાસે છે અને જરૂરિયાત મુજબ તેમને દવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત જરૂર જણાય તો આવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા બાબતે સલાહ પણ આપવામાં આવે છે.
સંજીવની કોરોના ઘર સેવા સાથે જ હવે કોરોના દર્દીઓ માટે કોરોના ટેલી મેડિસીન સેવા.
કોરોના દર્દીને ફોન પર જ 24×7 મળી શકશે અનુભવી તબીબોની સલાહ.
ડાયલ કરો : 14499
કોરોના સામે જંગ, સૌના વિશ્વાસને સંગ. pic.twitter.com/zQkdzNBATS— Amdavad Municipal Corporation (@AmdavadAMC) January 8, 2022
અમદાવાદમાં સતત કોરોનાનાં કેસો વધતા તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દી માટે ટેલી મેડિસન નંબર શરૂ કરવામાં આવ્યાં છે. ૧૪૪૯૯ નંબર પર કોલ કરવાથી કોરોનાનાં દર્દીઓને દવા અંગે જરૂરી માર્ગદર્શન મળી રહેશે. તબીબની ટીમ 24 કલાક દર્દીઓની સેવામાં હાજર રહીને માર્ગદર્શન આપશે. આરોગ્યમંત્રીની મુલાકાત બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો છે.