વાડજમાં આંગડિયા પેઢીના કર્મચારી પર ગોળીબાર, લુંટારુઓ 14.50 લાખ લુંટી ગયા
અમદાવાદમાં ફાયરીંગની ઘટના સામે આવી છે. અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં એક લૂંટ અને ફાયરિંગ ની ઘટના બની છે.ઉસ્માનપુરા નજીક હયાત હોટેલ પાસે મોડી સાંજે આ ઘટના બની હતી. આ ઘટનામાં બે બાઈક પર આવેલા ત્રણ લૂંટારાઓ દ્વારા આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને 14 લાખથી વધુની રકમ લુંટી ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ આ હુમલામાં આંગડિયા પેઢીના કર્મચારીને પગમાં ગોળી વાગી હતી તેના કારણે તે લોહી લુહાણ થઈ ગયો હતો. આ મામલાની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ક્રાઈમ બ્રાંચ વારા ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
ઘટનાની વાત કરીએ તો ઈઆંગડિયા પેઢીના કર્મચારી બળવંત રાજપૂત મોડી સાંજે ઉસ્માનપુરા આવી રહ્યા હતા ત્યારે બે અલગ-અલગ બાઈક પર ત્રણ લૂંટારા તેમનો પીછો કરતા હતા.જેમાં ત્રણમાંથી એક લૂંટારાએ તેમના પર ફાયરિંગ પણ કર્યું હતું. બાદમાં બેગમાં રહેલા વિવિધ પાર્સલ, રૂપિયા 7.50 લાખ કેશ અને રૂપિયા 7 લાખના ચાંદીના બિસ્કીટ લઈને તેઓ ફરાર થઇ ગયા હતા. આરોપીઓ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા આંગડીયા પેઢીના કર્મચારીને પગમાં ગોળી વાગી હતી.