AhmedabadGujaratMadhya Gujarat

જો તમારે કાંકરિયામાં પ્રવેશ મેળવવો છે તો તમારે આ ટેસ્ટ કરાવવો પડશે, જાણો શું છે મામલો…..

ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. તેની સાથે તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. તેના કારણે સરકાર દ્વારા સખ્ત પગલાં ભરવામાં આવી રહ્યા છે. જ્યારે આજે કંઇક એવા જ સમાચાર સામે આવ્યા છે. AMC દ્વારા કાંકરિયાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

AMC દ્વારા કાંકરિયા માં પ્રવેશ પહેલા RT-PCR ટેસ્ટને ફરજીયાત કરવામાં આવ્યો છે. તેના કારણે જો તમે કાંકરિયામાં જવાનું વિચારી રહ્યા છો તો તમારે ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે તો જ તમને કાંકરિયાની અંદર એન્ટ્રી મળશે. તેમ છતાં એક વાત સારી એ પણ છે કે હાલમાં કાંકરિયા ખાતે મુલાકાતીઓ માટે RT-PCR ટેસ્ટ ફ્રીમાં કરી આપવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેના કારણે AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા ખાનગી લેબોરેટરી ની મદદ લેવામાં આવી છે. જેના હેઠળ કોરોના ટેસ્ટીંગ માટે હવે AMC દ્વારા ૯ ખાનગી લેબોરેટરીની મદદ લેવામાં આવશે. નોંધનીય છે કે, અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી ત્રણ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેના લીધે તંત્ર દ્વારા સખ્ત પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં ૩૮૪૩ કેસ સામે આવ્યા હતા. જ્યારે ૧૬૩૭ દર્દીઓ કોરોનાથી સારવાર દરમિયાન સાજા થયા હતા.