અમદાવાદમાં નરાધમ શિક્ષકે અભ્યાસના બહાને વિદ્યાર્થિની સાથે 2 વર્ષ કર્યું…
અમદાવાદ શહેરમાં નરાધમ ટીચરની કાળી કરતૂત સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ દ્વારા એક નરાધમ શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. તેની હરકત જાણીને તમને પણ તેના પર જરૂર ગુસ્સો આવી જશે. કેમ કે આ શિક્ષક દ્વારા અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થિની પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેના લીધે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, આ શિક્ષકની વાત કરીએ તો તે એલન નામના ખાનગી ટ્યુશન કલાસીસમાં વિદ્યાર્થીઓને અભ્યાસ આપી રહ્યો હતો. તે દરમિયાન એક વિદ્યાર્થિનીને તેને તેની ચાલમાં ફસાવી લીધી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, નરાધમ શિક્ષક મંયક દીક્ષિત દ્વારા વર્ષ 2016 થી 2018 સુધી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આરોપી શિક્ષક દુષ્કર્મ આચરવાથી પણ રોકાયો નહોતો. એવામાં જ્યારે વિદ્યાર્થિનીના લગ્નની વાત સામે આવી તો તેને તે બ્લેકમેલ કરવા લાગ્યો હતો. તે વિદ્યાર્થિને વિડીયો વાયરલ કરવામાં ધમકી આપવા લાગ્યો હતો. જેના લીધે વિદ્યાર્થિનીએ કંટાળીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી હતી. આ આરોપસર પોલીસ દ્વારા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે.
જ્યારે આ નરાધમ શિક્ષક મંયક દીક્ષિતની વાત કરવામાં આવે તો તે એલન નામના કલાસીસમાં વિદ્યાર્થિઓને અભ્યાસ કરાવતો હતો.જ્યારે અત્યારે તે BYJU’S માં હાલ ટીચરની કામગીરી રહ્યો હતો. પરંતુ આ કાળી કરતૂત બહાર આવતા શિક્ષકની મુશ્કેલીમાં વધારો થયો છે અને જેલમાં જવાનો વારો આવ્યો છે.