Uncategorized

જામનગરના રાજપાર્ક વિસ્તારમાં 12 વર્ષની બાળકીની છરી ના ઘા ઝીંકી કરપીણ હત્યા

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, હત્યા અને અપહરણની ઘટના ઓ સામે આવી રહી છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવો જ એક મામલો જામનગરથી સામે આવ્યો છે. જામનગરમાં એક ૧૨ વર્ષીય બાળકીની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.

જાણકારી મુજબ, જામનગર ના રાજ પાર્ક વિસ્તારમાં રહેનાર 12 વર્ષીય બાળકીની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, જામનગર શહેરમાં રાજ પાર્ક વિસ્તારમાં રહેનાર બાળકી તેના પાડોશમાં જ રહેનાર વ્યક્તિ દ્વારા છરીના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાઈ હતી. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબ દ્વારા બાળકી ને મૃત જાહેર કરવામાં આવી હતી.

તેની સાથે ઘટનાની જાણ થતા પોલીસ નો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસની ટીમ પછી હોસ્પિટલ પહોંચી હતી. હાલમાં પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે. આરોપીના પકડ્યા બાદ જ સત્ય સામે આવશે આખરે આ વ્યક્તિ બાળકીની આ રીતે હત્યા કેમ કરી હતી.