GujaratMadhya Gujarat

દાહોદથી સામે આવી દર્દનાક ઘટના, એક પિતાએ પહેલા બે બાળકોનું ગળું દબાવી હત્યા કરી અને પછી….

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામથી દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં સાસરિયાના ત્રાસથી એક પિતા દ્વારા ના ભરવાનું પગલું ભરવામાં આવ્યું છે. એક પિતા દ્વારા તેના બે પુત્રનું ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોતે પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્યાસ કર્યો હતો. પરંતુ ભાભી દ્વારા બુમાબુમ કરવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો. પોલીસ દ્વારા હાલમાં તેની ધરપકડ કરી બાળકોના મૃતદેહ પીએમ અર્થે મોકલી આ મામલામાં તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ડુંગરી ગામ રહેનાર ભૂરસિંહભાઈ ડાંગી મજૂરી કામ કરીને પોતાના પરિવારનો ભરણપોષણ કરતો હતો. ભુરસિંહભાઈ અને તેમનાં પત્ની અલ્પાબેન વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઘણી વખત ઝઘડો થતા અલ્પાબેન તેમના પિયર ચાલ્યા જતા હતા. ત્યારે ભૂરસિંહભાઈ તેમની સાસરીમાં અલ્પાબેનને લેવા જતા તો તેમના સાળા અને સાસુ ઉગ્ર બોલાચાલી પણ કરતા હતા. તેના લીધે ભૂરસિંહભાઈ કંટાળી ગયા હતા.

એવામાં ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી અંતે ભૂરસિંહ દ્વારા ના ભરવાનું પગલું ભરી લેવામાં આવ્યું હતું. ભૂરસિંહ દ્વારા રાત્રીના સુસાઈડ નોટ લખી અને ત્યાર બાદ 12 વર્ષની દીકરી પ્રતિક્ષા અને 7 વર્ષના જયરાજ જેનીની રાત્રીના ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તેમણે પણ કંટાળીને ઘર નજીક આવેલ વૃક્ષ ઉપર દોરડા વડે ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સમયે તેમના ભાભી જોઈ ગયા અને તેમને આવું કરતા રોક્યા હતા. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા હત્યારા પિતા ભૂરસિંહને ઝડપી પાડવામાં આવ્યા અને બંને બાળકોના મૃતદેહને ફોરેન્સિક અધિકારી અને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવી આગળની કાર્યવાહી શરુ કરી હતી.