IndiaNews

ભાજપના નેતાના કાફલાની કારે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત, સ્થાનિકોનો આક્ષેપ

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચાંદીપુરમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના કાફલામાં કથિત રીતે સામેલ એક કાર તેમની કાર સાથે અથડાતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. એવો દાવો સ્થાનિક લોકોએ કર્યો છે. જો કે, પોલીસે હજુ સુધી પુષ્ટિ કરી નથી કે આ વાહન નંદીગ્રામ સાંસદ અધિકારીના કાફલાનો ભાગ હતું કે નહીં.

આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો જેને પગલે સ્થાનિકોએ એક કલાકથી વધુ સમય સુધી રસ્તો બ્લોક કરી દીધો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે અકસ્માત બાદ પણ કાફલો રોકાયો ન હતો. એક વરિષ્ઠ જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “મૃતક શેખ ઈસરાફિલ પેટ્રોલ પંપ પાસે નેશનલ હાઈવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે રાત્રે લગભગ 10.30 વાગ્યે એક કારે તેને ટક્કર મારી હતી. તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

આ પણ વાંચો: પ્રેમી માટે પતિ સાથે છૂટાછેડા લેવા પરણીતાને પડ્યા ભારે, સમગ્ર અહેવાલ વાંચીને તમે પણ ચોંકી ઉઠશો

અધિકારીના જણાવ્યા અનુસાર, “લોકો દાવો કરી રહ્યા છે કે આ કાર શુભેન્દુ અધિકારીના કાફલાનો ભાગ હતી, પરંતુ અમે હજી સુધી આની પુષ્ટિ કરી નથી.” અધિકારી અથવા અન્ય કોઈપણ બીજેપી નેતાએ આ મુદ્દે ટિપ્પણી કરી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા મોઈનામાં પાર્ટીના એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે