AhmedabadGujarat

અમદાવાદમાં ફરી અકસ્માતની ઘટના : નશામાં ધૂત ચાલકે ટક્કર મારી, કારમાંથી બિયરની બોટલો મળી…

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે અમદાવાદથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલક દ્વારા બેફામ કાર ચલાવીને બાંકડા સાથે અથડાવી અકસ્માત સર્જવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બાંકડા સાથે કાર અથડતા જ કાર ઊંધી થઇ ગઇ હતી. તેમ છતાં આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જ્યારે આ કારમાં ચારથી પાંચ લોકો રહેલા હોવાની જાણકારી સામે આવી છે. તેની સાથે આ કારમાંથી બિયરનો બોટલો પણ મળી આવી હતી. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના મણિનગર વિસ્તારમાં રવિવાર રાત્રીના રાજકમલ બેકરી પાસે એક કાર ફૂલ ઝડપે આવી રહી હતી. અચાનક કાર ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા તે બાંકડા સાથે ટકરાઈ ગઈ હતી. તેના લીધે કાર આખી ઉંધી થઈ ગઈ હતી. જ્યારે બાંકડા પર લોકો બેઠેલા હતા પરંતુ તેઓ કારણે જોતા ત્યાંથી ઉભા થઈ ગયા હતા. જો તેઓ બાંકડા બેઠેલા હોત તો તેમનુ મૃત્યુ નિશ્વિત હતું. તેમ છતાં સદનસીબે આ લોકોને કોઈ ઈજા થઈ નહોતી.

તેની સાથે અકસ્માત સર્જાતા જ સ્થાનિકો લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાં હાજર લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગાડીમાં સવાર લોકો નશાની હાલતમાં રહેલા હતા. તેના લીધે આ અકસ્માત સર્જાયો છે. સ્થાનિક પોલીસને જાણ થતા ઘટન સ્થળ પર આવી કારમાં તપાસ હાથ ધરી હતી. તે સમયે કારમાંથી બીયરની બોટલો મળી આવી હતી. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.