GujaratAhmedabad

ક્રાઈમ બ્રાંચના કેમ્પસમાં આપઘાત કેસમાં મોટા સમાચાર : મહિલા ડોક્ટરના પરિવાજનોને ફરિયાદ નોંધાવવા અમદાવાદ બોલાવાયા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટર ના આત્મહત્યા કેસ ને મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલામાં જાણકારી સામે આવી છે કે, આગામી દિવસોમાં PI બી. કે. ખાચર સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવે તેવી શક્યતા છે. મહિલા ડોકટર વૈશાલી જોષીના બેસણાની વિધી પૂર્ણ થતા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને અમદાવાદ આવીને ફરિયાદ નોંધાવવા માટે જણાવવામાં આવ્યું છે. બીજી તરફ વૈશાલી જોષીની સુસાઇડ નોટના લખાણને મેચ કરવા માટે પોલીસ વૈશાલીના લખેલા અન્ય લખાણ કે બુક્સ પણ પ્રાપ્ત કરવામાં આવશે.

નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીની આર્થિક ગુના નિવારણ શાખા-EOW ના ગેટ નજીક વૈશાલી જોશીનો મૃતદેહ મળી આવ્યો હતો. વૈશાલી જોશીની ઉંમર 32 વર્ષ રહેલી હતી અને તે ડોક્ટર રહેલ હતી અને શિવરંજની પાસે PG માં રહેતી હતી. ડો. વૈશાલી મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની છે.

તમને જણાવી દઈએ કે, આ યુવતી અને ક્રાઇમ બ્રાન્ચની EOW શાખામાં ફરજ બજાવનાર પી. આઈ. બી. કે. ખાચર છેલ્લા ચાર વર્ષથી એકબીજાના પ્રેમસંબંધ રહેલા હતા. તેમ છતાં પી. આઈ. ખાચર દ્વારા સંબંધો ઓછા કરી નાખવામાં આવ્યા હતા. એવામાં યુવતી વૈશાલી જોશી તેમને મળવા ક્રાઇમ બ્રાન્ચની EOW શાખા આવી હતી અને ત્યાં જ તેના આપઘાત કરી લેવામાં આવ્યો હતો.

સ્યુસાઈડ નોટમાં તેમણે જણાવ્યું હતું કે, “મારી સાથે ઈમોશનલ ગેમ થઈ ગયેલ છે, પરિવાર મને માફ કરજો.” તેની સાથે ડો.વૈશાલી દ્વારા પોતાના મોત મામલે પી. આઈ. ખાચરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સ્યુસાઈડ નોટમાં તેણે ઈચ્છા વ્યક્ત કરી છે કે તેના અંતિમ સંસ્કાર પી. આઈ. ખાચર દ્વારા કરવામાં આવે.