GujaratAhmedabad

અમદાવાદના ચાંદખેડામાં છરીના ઘા ઝીંકી રિક્ષાચાલકની કરપીણ હત્યા

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, હત્યા અને અપહરણની ઘટના ઓ સામે આવી રહી છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવો જ એક મામલો અમદાવાદથી સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં છરીના ઘા મારી રિક્ષા ચાલકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મૃતક રિક્ષા ચાલક અને આરોપી વચ્ચે અગાઉ રિક્ષાની બાબતમાં ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું. તેમાં જૂની અદાવતમાં આરોપી દ્વારા શૈલેષ પટણી નામના યુવક પર છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.

તેની હત્યા ની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી દ્વારા રીક્ષાની બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. હાલમાં આ મામલામાં ચાંદખેડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે