GujaratAhmedabad

અમદાવાદના ચાંદખેડામાં નવજાત બાળકની હત્યામાં મહિલાએ પોતાના પ્રેમીને લઈને કર્યો મોટો ખુલાસો

અમદાવાદના ચાંદખેડામાં થોડા દિવસ પહેલા એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં એક મહિલાએ નવજાત બાળકને દસમાં માળેથી નીચે ફેંકી હત્યા કરી નાખી હતી. તેને લઈને યુવતી દ્વારા સતત પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. એવામાં આજે મહિલા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

આ મામલામાં સામે આવ્યું છે કે, યુવતીને વિદેશમાં રહેતા પ્રેમી સાથે સંબંધ હતો તેના લીધે તે ગર્ભવતી બની ગઇ હતી. વિદેશથી જ્યારે આ યુવતી અમદાવાદ આવી ત્યારે તેને જાણ થઈ કે તે ગર્ભવતી રહેલ છે. બાળકના જન્મ બાદ જ યુવતીએ તેને કરૂણ મોત આપ્યું હતું.

આ યુવતી દ્વારા કહેવામાં આવ્યું છે કે, વિદેશમાં પ્રેમી સાથે તેના શારિરિક સંબંધ બંધાયા હતો. બે વખત તેમના વચ્ચે શારીરીક સંબંધ બંધાયો હતો. એવામાં ગર્ભવતી બન્યા બાદ તેને નવજાત બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ નવજાત બાળકને જન્મ આપતા જ તેને દસમાં માળની બાથરૂમની બારીમાંથી નીચે ફેંકી દીધું હતું. જ્યારે યુવતી વિવિધ દવાઓ પણ લેતી હોવાનું સામે આવ્યું છે.

આ યુવતીની વાત કરીએ તો તે વિદેશથી અમદાવાદ આવી હતી. આ દરમિયાન ચાંદખેડાના એક એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. એવામાં અપરિણીત યુવતી દ્વારા બાળકને જન્મ આપવામાં આવ્યો હતો. કુંવારી માતા બનેલી આ યુવતી દ્વારા અંતે નવજાત બાળકની કરૂણ હત્યા કરી નાખી હતી. આ મામલામાં હાલમાં પોલીસ દ્વારા નવજાત બાલ્કની હત્યા કરવાની બાબતમાં મહિલા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.