
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલમાં ઈજાગ્રસ્ત રહેલા છે અને અને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં તેમાંથી સાજા થઈ રહ્યા છે. 35 વર્ષીય જાડેજા દ્વારા એક દિવસ અગાઉ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂર્ણ થયા છે. એવામાં તે શુક્રવારના અચાનક એક મુદ્દે ચર્ચાના વિષય બની ગયા હતા. કેમકે તેમના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા દ્વારા તેમના વિશે ઘણી આશ્ચર્યચકિત વાતો કરવામાં આવી હતી. જાડેજાના પિતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમને તેમના પુત્ર રવિન્દ્ર અને પુત્રવધૂ રીવાબા સાથે કોઈ સંબંધ રહેલા નથી.
એવામાં આ મામલામાં પિતાનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ રવિન્દ્ર જાડેજા દ્વારા X પર પોસ્ટ કરીને પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના ઈન્ટરવ્યુનો જવાબ આપવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજા દ્વારા ઈન્ટરવ્યુમાં કહેવામાં આવેલી વાતને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી હતી. તેની સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે, આ ઈન્ટરવ્યુ દ્વારા તેમની પત્ની રીવાબાની ઈમેજને કલંકિત કરવાનો પ્રયાસ કરાયો છે. આ સથે જાડેજાએ X પર એક પોસ્ટ કરી અને સમગ્ર ઈન્ટરવ્યુને નકારી કાઢવામાં આવ્યું છે.
તેની સાથે રવિન્દ્ર જાડેજા દ્વારા ગુજરાતીમાં લખવામાં આવ્યું હતું કે, એક સમાચર પત્રમાં પ્રકાશિત થયેલા બકવાસ ઇન્ટરવ્યુમાં કહેવામાં આવેલી દરેક વાત ખોટી અને અર્થહીન રહેલ છે. માત્ર એક બાજુના દૃષ્ટિકોણનો ઉલ્લેખ કરાયો છે. આ અગાઉ ઈન્ટરવ્યુમાં તેમના પિતા અનિરુદ્ધ સિંહ દ્વારા ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર ઘણા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હવે તેમનો પુત્ર સાથે કોઈ સંબંધ રહેલ નથી. તેને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું હોત. આ સિવાય જાડેજાની પત્ની રીવાબા જાડેજા દ્વારા માત્ર પૈસાની જ ચિંતા કરવામાં આંવે છે. જ્યારે રવિન્દ્ર જાડેજાની બહેન પણ નયના બા દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી છે. તેને માતાની જેમ ઉછેર્યો છે. હવે તેને નયના બા સાથે પણ કોઈ લેવાદેવા રહેલા નથી.