AhmedabadGujarat

અમદાવાદના વેજલપુરમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાઈ થતા આઠ લોકો દટાયા

અમદાવાદના વેજલપુરથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. અમદાવાદના વેજલપુર સોનલ સિનેમા નજીક આવેલ ત્રણ માળની  બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. સોનલ સિનેમા નજીક આવેલ યાશમીન ફ્લેટ ધારાશાયી થતા જ ફાયરટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેની સાથે જ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

તેની સાથે કાટમાળમાં ફસાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ તમામ લોકો સુરક્ષીત છે અને કોઈ પણ જાનહાની થઈ નથી. હાલમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવાયું છે. બીજી તરફ પોલીસ આજુબાજુના લોકો પાસેથી ફ્લેટ બાબતની જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે.

ઘટનાને લઈને તમને જણાવી દઈએ કે, વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા પાસે યાશમીન ફ્લેટની ગલીમાં આવેલો એક ફ્લેટ ધરાશાયી થઈ ગયો હતો. આ અગાઉ ગોલ ફ્લેટને જર્જરિત પણ જાહેર કરાયો હતો. તેના લીધે પહેલાથી જ ત્યાં રહેનાર પરિવારોને ખસેડી લેવાયા હતા. મોટા ભાગે ફ્લેટ ખાલી જ રહેલા હતો. તેમ છતાં ત્યાં બે પરિવાર હજી પણ રહી રહ્યા હતા. તેના લીધે આઠથી દસ લોકો દટાયા હોવાની જાણકારી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી હતી. તેમ છતાં ચિંતાની કોઈ વાત રહેલ નથી. આ તમામ લોકો સુરક્ષિત હોવાની જાણકારી સામે આવી છે.

નોંધનીય છે કે, સમગ્ર વિસ્તાર ખુબ જ ગીચ હોવાના લીધે રાહત અને બચાવ કાર્યમાં પણ મુશ્કેલીનો સામનો ફાયરવિભાગની ટીમ કરવો પડ્યો હતો. તેમ છતાં ફાયર વિભાગની ટીમ દ્વારા એક મહત્વની જાણકારી આપવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ફ્લેટ ધારાશાઈ માં દટાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે