Bollywood

ગંગુબાઈ કાઠીયાવાડીએ નેહરુજીને પૂછ્યું હતું કે તમે મને પત્ની બનાવી લેશો? જાણો શું જવાબ મળ્યો

ગંગુબાઈ કાઠીયાવાડીના પૂરા જીવનને હુસૈન જૈદીએ પોતાની બુક ‘માફિયા કવીન ઓફ મુંબઈ’માં દર્શાવ્યું છે. ગંગુબાઈનો પ્રભાવ ફક્ત અંડરવર્લ્ડ અને ગેંગસ્ટર સુધી હતો એવું નહીં પણ મોટા મોટા રાજનેતાઓ પણ તેનાથી પ્રભાવિત હતા. ગંગુબાઈ એટલે કે મહિલા એમ્પાવરમેન્ટ એટલે કે મહિલા સશક્તિકરણ સમિટમાં વેશ્યાવૃતિના પક્ષમાં એવી સ્પીચ આપી જે ખૂબ ચર્ચામાં આવ્યું હતું.ગંગુબાઈના ભાષણની ચર્ચા તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સુધી પહોંચી હતી. પુસ્તકમાં એક ઘટનાનો ઉલ્લેખ છે જ્યારે ગંગુબાઈએ નેહરુને પૂછ્યું, ‘શું તમે મને શ્રીમતી નેહરુ બનાવી શકશો?

હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ અનુસાર, ગંગુબાઈએ એકવાર પોતાના રાજકીય પરિચિતોની મદદથી તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને મળવા માટે સમય માંગ્યો હતો. આ બેઠકમાં નહેરુ પણ ગંગુબાઈના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. આ દરમિયાન નેહરુએ ગંગુબાઈને પૂછ્યું કે તમે આ વ્યવસાયમાં કેમ છો? તેમને સારી નોકરી અને સારા પતિ મળી શકે છે.

આ ઉપર ગંગુબાઈએ નેહરુજીને કહ્યું હતું કે તમે મને પત્નીના રૂપમાં સ્વીકાર કરશો તો હું તરત આ કામ છોડી દઇશ. ગંગુબાઈની વાત સાંભળીને નેહરુજઈ ચોંકી ગયા હતા અને તેમણે અસહમતી બતાવી હતી પછી ગંગુબાઈએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીજઈ નારાજ ના થશો હું તો ફક્ત મારી વાત સાબિત કરવા માંગતી હતી. સલાહ આપવી સરળ છે અને અપનાવવી અઘરી છે.’

ગંગુબાઈ ગુજરાતના કાઠિયાવાડના રહેવાસી હતા. તેમનું સાચું નામ હરજીવનદાસ કાઠિયાવાડી હતું. હરજીવન ગુજરાતના કાઠિયાવાડના એક સમૃદ્ધ પરિવારની પુત્રી હતી. ગંગુબાઈનું જીવન ફિલ્મની વાર્તાથી ઓછું નહોતું. કહેવાય છે કે તે હિરોઈન બનવાના સપના જોતી હતી. જો કે, 16 વર્ષની ઉંમરે, તેણીને તેના પિતાના એકાઉન્ટન્ટ સાથે પ્રેમ થઈ ગયો, જેના કારણે તે મુંબઈ આવી ગઈ.

તે સમયે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી. ગંગુબાઈ એકાઉન્ટન્ટના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ હતી કે તેણે પરિવારની વિરુદ્ધ જઈને તેની સાથે લગ્ન કરી લીધા અને મુંબઈ ભાગી ગયા. પરંતુ ગંગુબાઈએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે અહીં તેની સાથે શું થવાનું છે. ગંગુબાઈએ તે વ્યક્તિ સાથે દગો કર્યો જેને તેણે પ્રેમ માટે પોતાનો પરિવાર છોડી દીધો. ગંગુબાઈના પતિએ તેની સાથે છેતરપિંડી કરી અને માત્ર 500 રૂપિયામાં તેને કોઠા પર વેચી દીધી.

અહીંથી હરજીવનદાસની ગંગુબાઈ કાઠિયાવાડી બનવાની દર્દનાક વાર્તા શરૂ થઈ. માફિયા ડોન કરીમ લાલાની ગેંગના સભ્ય દ્વારા ગંગુબાઈ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ પછી ગંગુબાઈ કરીમ લાલાને મળ્યા અને ન્યાયની માંગ કરી. તેણે રાખડી બાંધીને કરીમને પોતાનો ભાઈ પણ બનાવ્યો હતો. આ પછી પતિની છેતરપિંડી અને સમાજની દુર્દશાનો ભોગ બનેલી ગંગુબાઈ પાછળથી મુંબઈની સૌથી મોટી મહિલા ડોન બની ગઈ.

મળતી માહિતી મુજબ, ગંગુબાઈ મુંબઈના કમાઠીપુરા રેડ લાઈટ વિસ્તારમાં ઘણા કોઠા પણ ચલાવતા હતા. એવું કહેવાય છે કે કોઈ પણ છોકરીની સંમતિ વિના ગંગુબાઈએ તેને પોતાના રૂમમાં રાખી ન હતી. ગંગુબાઈએ સેક્સ વર્ક્સ અને અનાથોને મદદ કરવા માટે ઘણું કામ કર્યું.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે