AhmedabadGujarat

ઇસ્કોન બ્રિજ અકસ્માત : કેન્સરની સારવાર માટે જામીન માંગનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન નામંજૂર

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. જ્યારે આ અકસ્માત બાદ પ્રજ્ઞેશ પટેલ તેના પુત્ર તથ્ય પટેલને પોલીસ સમક્ષ હાજર કરવાને બદલે અન્ય સલામત સ્થળ પર લઇ ગયા હતા. તેની સાથે આ દરમિયાન તેમના દ્વારા ત્યાં રહેલ લોકોને ધમકાવ્યા પણ હતા. આ કારણોસર પ્રજ્ઞેશ પટેલને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. એવામાં પ્રજ્ઞેશ પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. હવે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. બંને પક્ષોની દલીલો બાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા આરોપી પ્રજ્ઞેશ પટેલને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, કેન્સરની સારવાર માટે પ્રજ્ઞેશ પટેલ દ્વારા મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન અરજી કરવામાં આવી હતી. આ બાબતમાં અગાઉ પણ પ્રજ્ઞેશ પટેલ દ્વારા કોર્ટેમાં સારવારનાં દસ્તાવેજ અને કેન્સરનાં ભાગનો સ્કેચ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો હતો. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી સામે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. આ સમગ્ર બાબતને લઈને આરોપી પ્રજ્ઞેશ પટેલને ગ્રામ્ય કોર્ટ દ્વારા ઝટકો આપવામાં આવ્યો છે અને જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મોઢામાં કેન્સરનાં બહાના હેઠળ તથ્યનાં પિતા દ્વારા જામીન માંગવામાં આવ્યા હતા. આ  બાબતમાં કોર્ટેમાં સારવારનાં દસ્તાવેજ અને કેન્સરનાં ભાગનો સ્કેચ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી સામે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, 10 ઓગસ્ટની રાત્રીના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હતા. તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી ફૂલ ઝડપે આવી રહેલી કાર દ્વારા અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લેવામાં આવતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તથ્ય પટેલ દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો. તેના કેસમાં હાલમાં તે જેલમાં રહેલ છે.