AhmedabadGujarat

વડોદરાના અભોર ગામના નરાધમ આચાર્યે શિક્ષણ જગતને કલંકિત કર્યું

વડોદરાના અભોર ગામની શાળામાં શિક્ષણ જગતને કલંકિત કરનાર ઘટના સામે આવી છે. શાળાના આચાર્ય મહેન્દ્ર જાદવ પર વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવવામાં આવ્યો આરોપ લાગ્યો છે. ઘટનાની જાણકારી મળતા જ ગ્રામજનો દ્વારા આચાર્ય મહેન્દ્ર જાદવને માર મારી પોલીસને સોંપવામાં આવ્યો છે. ત્યાર બાદ વાલીઓ દ્વારા આચાર્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ મામલામાં વિદ્યાર્થિનીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે ઉભેલા હતા તે સમયે સાહેબ અહીં આવી ગયા હતા અને અમને બિભત્સ તસ્વીરો દેખાડવામાં લાગ્યા હતા. ત્યાર બાદ આ સમગ્ર મામલામાં વાલીઓ દ્વારા સ્કૂલમાં પહોંચી શિક્ષકને માર મારીને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.

તેમ છતાં આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા શાળાની તપાસ કરવામાં આવી તો શાળામાં દેશી દારૂની પોલીથીન મળી આવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે રોષ રહેલો છે. વાલીઓ દ્વારા આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ મામલામાં પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વિકૃત માનસિકતા ધરાવનાર શિક્ષક દ્વારા શરમ જનક કૃત્ય કરવામાં આવ્યું છે. જ્યારે આવા વ્યક્તિઓ સામે સખતમાં સખ્ત પગલા ભરવામાં આવે તે બાબતમાં પીએસઆઈને પણ રજૂઆત કરાશે.