![](/wp-content/uploads/2023/05/Seeing-the-cruelty-of-the-husband-you-will-also-get-angry.jpg)
ઘરેલુ હિંસાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક ઘરેલુ હિંસાનો કેસ સામે આવ્યો છે. જ્યાં સાસરિયાઓએ અંધશ્રદ્ધામાં અનેક ટોચકા કરતા 2 વાર પરિણીતાના ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. પરિણીતા ગર્ભવતી હતી તે દરમિયાન પણ પતિ શારિરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જો પત્ની ના પાડે તો પતિ પરિણીતાના પેટ તેમજ ગુપ્તાંગ પર તે લાતો મારતો હતો. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આંબલી વિસ્તારમાં વસવાટ કરતી મહિલાના લગ્ન વર્ષ 2019માં થયા હતા. મહિલાને તેનો પતિ શારીરિક સંબંધ માટે સતત દબાણ કરતો હતી. હનિમૂન પર ગયા હતા તે દરમિયાન પણ પતિ અનેક વખત દારૂ પીધા પછી શારિરિક સંબંધ બાંધવા માટે પરિણીતાને દબાણ કરતો અને મારઝૂડ પણ કરતો હતો. હવે હનિમૂન પછી ઘરે પાછા આવ્યા તો ઘરકામને લઈને સાસુએ પરિણીતા સાથે ઝઘડા શરૂ કર્યા હતા. પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે તેની સાસુએ પરિણીતાને યોગ્ય સારવાર આપવાના બદલે ઘરઘથ્થુ ઉપચાર કરવા માટે ટકોર કરી હતી. વળી દુખાવો વધી જોય તો પરિણીતાને ડોકટર પાસે તપાસ માટે તો લઈ જતા પરંતુ ડોકટર દવા લખી આપે તે લેવા દેતા નહોતા. તેઓ સારવાર પછી બધી જ દવાઓ ઘરની કચરાપેટીમાં નાખી દેતા હતા. તેઓ અંધશ્રધા રાખીને અનેક ટોચકા કરતા હતા. પરિણીતા ગર્ભવતી હતી ત્યારે અંધશ્રદ્ધામાં રહીને ટોચકો અપનાવીને પરિણીતાને એવો કાઢો પીવડાવ્યો કે મોડી રાત્રેથી જ પરિણીતાને બ્લિડિંગ શરૂ થઈ ગયું હતું.
નોંધનીય છે કે, ટોચકના કારણે બ્લિડિંગ વધી જતા પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોકટરે તપાસ કરીને જણાવ્યું કે બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થઈ ગયું છે. અને મહિલાને 3 મહિના સુધી હવે સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે. એટલું જ નહીં પરિણીતાને ગર્ભવતી ન થવા માટે પણ સૂચનો આપ્યા હતા. પરંતુ પતિ અવાર નવાર શારિરિક સંબંધો બાંધવા માટે પરિણીતા સાથે જબરદસ્તી કરતો હતો. ડોક્ટરે 3 મહિના સુધી ગર્ભ રાખવાની ના પાડી હોવા છતા પણ પતિએ શારીરિક સંબંધ બળજબરીથી બાંધતા મહિલાની સ્થિતિ કફોડી બની ગઈ હતી. પતિ અવારનવાર ગર્ભવતી પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે અવાર નવાર ઝઘડો કરતો અને શરીરના ગુપ્ત ભાગે જોરથી લાતો મારતો હતો.
તમને જણાવી દઈએ કે, પતિ સતત આ રીતે મારઝૂડ કરતો તેના કારણે પરિણીતાના ગર્ભમાં રહેલું બાળક પણ મૃત્યુ પામ્યું હતું. જેથી નારાજ થઈને પરિણીતા તેના પિતાના ઘરે ચાલી ગઈ હતી. જોકે થોડા સમય પછી તે પતિના ઘરે પાછી આવી તો પતિએ તેને ખૂબ માર મારીને બહાર ધકેલી દીધી હતી. ત્યારે આખરે કંટાળીને પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.