![Such scenes happened near the statue in the temple that the police were running](/wp-content/uploads/2023/05/Such-scenes-happened-near-the-statue-in-the-temple-that-the-police-were-running.jpg)
દુનિયા આજે ટેકનોલોજીના માધ્યમથી ક્યાંની ક્યાં પહોસીબી ગઈ તેમ છતાં પણ હજુ ઘણા લોકો અંધશ્રદ્ધામાં માની રહ્યા છે. ઘણા લોકો અંધશ્રદ્ધામાં નિર્દોષ પશુઓની બલી ચડાવતા હોય છે. ત્યારે વડોદરા શહેરમાં આવું જ કંઈક સામે આવ્યું છે. જ્યાં માતાના મંદિરમાં નિર્દોષ પશુ એવા બકરાની બલિ ચઢાવાઈ હોવાનું સામે આવ્યું છે. મંદિરના ભુવાજીએ એ વાતનો સ્વીકાર કર્યો કે ગત રોજ રાત્રીના સમય દરમિયાન બે બકરાની બલિ ચઢાવી હતી. ભુવાએ દાવો કર્યો કે વર્ષોથી આ મંદિરમાં બલી ચઢાવાય છે. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના કરોડિયા વિસ્તારમાં આવેલ મહોણી માતા મંદિરમાં બલી ચઢાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની તપાસમાં જાણવા મળ્યું કે, બકરાની બલી ચડાવ્યા પછી મંદિરમાં માતાની પ્રતિમા પાસે જ બકરાના માથા અને લોહીને મુકવામાં આવ્યા હતા. આ મંદિરમાં દર્શન કરવા નાતે આવેલા ભક્તો પણ આ જોઈ નવાઈ પામ્યા હતા. હાલ તો સમગ્ર કરોળિયા વિસ્તારમાં આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.
નોંધનીય છે કે, મંદિરની અંદર આ પ્રકારના દ્રશ્યો સર્જાતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે જાણવાજોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ દેશ અને દુનિયા ટેકનોલોજીના માધ્યમથી સતત આગળ વધી રહ્યા છે. ત્યાં કેટલાક લોકો આજના ટેકનોલોજીના જમાનામાં હજી પણ આ પ્રકારે અંધશ્રદ્ધામાં માનતા રહે છે. જેના કારણે નિર્દોષ પશુઓની બલી ચડતી રહે છે.