
ધોરણ-10 માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને લઈને મોટી જાણકારી સામે આવી છે. અત્યાર સુધી ધોરણ 10 માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ સ્કૂલમાં પ્રવેશ મળતો નહોતો. જ્યારે ઘરે બેસીને અથવા કોઈ ટ્યુશનમાં જઈને નાપાસ થયેલા વિષયોની પરીક્ષા આપતા રહેતા હતા. પરંતુ હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ધોરણ-10 માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ એક વર્ષ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃપ્રવેશ પ્રાપ્ત કરી શકશે.
પ્રાપ્ત માહિતી મુજબ, ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા બાદ વિદ્યાર્થી એક વર્ષ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે ફરીથી પ્રવેશ મેળવી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 માં ફેરફાર કરવામાં આવ્યો છે. તેની સાથે વિદ્યાર્થી દ્વરા ધોરણ 10ની જે શાળામાંથી નિયમિત વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવામાં આવી હશે તે જ શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ મળશે. તેની સાથે કોઈપણ શાળામાં વિદ્યાર્થી ફરીથી પ્રવેશ મળશે નહીં.
જ્યારે વિદ્યાર્થી જે વર્ષમાં નાપાસ થયો હશે તે પછીના તરત જ એક શૈક્ષણિક વર્ષ પૂરતું જિલ્લા શિક્ષણાધિકારીની પૂર્વ પરવાનગી પ્રાપ્ત કરીને શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે ફરીથી આપી શકશે. પુનઃ પ્રવેશ આપેલ વિદ્યાર્થી માટે ગ્રાન્ટ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે વિદ્યાર્થી સંખ્યા ગણતરીમાં લેવામાં આવશે નહીં. પુનઃપ્રવેશ આપેલા વિદ્યાર્થીઓએ ધોરણ-10 ની જાહેર પરીક્ષાનું આવેદન પત્ર રિપીટર વિદ્યાર્થી તરીકે જ ભરવું પડશે.