AhmedabadGujarat

RPF જવાને ચાલુ ટ્રેનમાં જ કરી દીધું ફાયરિંગ, એક RPF એ.એસ.આઈ. સહિત ચાર લોકોના મોત

મહારાષ્ટ્રના પાલઘર માંથી એક ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના વાપી થી મુંબઈ જઈ રહેલી જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેન માં ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં 4 લોકોના મોત પણ નિપજ્યા છે. આ ગોળીબારમાં RPFના એક ASI સહિત 4 યાત્રીઓ નું મોત નીપજ્યું છે. અને આ ગોળીબાર કરનાર બીજું કોઈ નહિ પણ RPFના કોન્સ્ટેબલ ચેતને જ આ ગોળીબાર કરીને આ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે જીઆરપી મુંબઈ ના જવાનોએ હાલ તો આ ગોળીબાર કરનાર કોન્સ્ટેબલની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ગોળીબાર થઈ હોવાની ઘટના સામે આવી છે. ચાલુ ટ્રેનમાં  વાપી સુરત ની વચ્ચે ગોળીબાર થતા 4 લોકોના મોત નિપજ્યા છે. જયપુર મુંબઈ એક્સપ્રેસ ચેતનસિંહ નામના આરપીએફ જવાને પોતાની રાઇફલથી ગોળીબાર કરતા RPFના અસી સહિત 4 લોકો મૃત્યુ પામ્યા છે.

આ સમગ્ર મામલે પશ્ચિમ રેલવેએ નિવેદન આપતા જણાવ્યું છે કે, એક RPF કોન્સ્ટેબલે જયપુર એક્સપ્રેસ ટ્રેને પાલઘર સ્ટેશન પાર કર્યા પછી ટ્રેનની અંદર જ પોતાની રાયફળથી ગોળીબાર કરી દીધો હતો. જેમાં એક RPF એએસઆઈ અને ટ્રેનમાં સવાર બીજા 3 પેસેન્જરને ગોળી મારતા ચારેય નું મોત નીપજ્યું છે. દહીસર સ્ટેશન નજીક આ કોન્સ્ટેબલ ટ્રેનમાંથી બહાર કૂદી ગયો હતો. ત્યારે હથિયાર સાથે આરોપી સિપાહીની ધરપકડ કરી લેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આ RPF જવાને આ ગોળીબાર કેમ કર્યો તે અંગે કોઈ ખુલાસો સામે આવ્યો નથી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.