AhmedabadGujarat

રાજ્ય સરકારે ગુજરાતમાં નિવૃત્ત રમતવીરોને લઈને લીધો સૌથી મોટો નિર્ણય

રાજ્યમાં નિવૃત્ત રમતવીરોને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિવૃત રમતવીરોને પેન્શન આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નિવૃત રમતવીરોને રાજ્ય સરકાર દ્વારા દર મહિને રૂપિયા 3 હજારનું પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના લાભ લેવા માટે રમતવીરોએ અરજી કરવી પડશે તેમજ રમતગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે મેડલ જીત્યો હશે તેમને પણ પેન્શન અપાશે.

તેની સાથે રાજ્ય તરફથી રમતમાં મોકલવામાં આવેલ સભ્યોને પણ આ લાભ અપાશે. આ સમગ્ર બાબતને લઈને સાત સભ્યની કમિટી દ્વારા પેન્શન આપવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ સાથે કેટલાક નિયમો પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં નિયમોની વાત કરવામાં આવે તો જિલ્લામાં રહેતા અને 50 વર્ષની ઉંમરના નિવૃત રમતવીરો દ્વારા રાષ્ટ્રીય કક્ષા અને સાંધીક રમતમાં વ્યકિતગત રીતે મેડલ પ્રાપ્ત કરેલો હોવો જરૂરી છે. આ સિવાય નિવૃત્ત રમતવીરોને પોતાની કારકિર્દી દરમિયાન રમતગમત ક્ષેત્રમાં 35 વર્ષથી વધુ ઉમર સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત અથવા સાંધિક રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલો હોવા જરૂરી છે. જ્યારે રાજ્ય તરફથી નેશનલ માટે મોકલવામાં આવ્યા હોય તેવા સભ્ય પણ પેન્શન પાત્ર ગણાશે.