ગુજરાત પર હજુ પણ વાવાઝોડાનું સંકટ મંડરાયેલું છે. કારણ કે વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી હોવાના કારણે જે વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયેલુ હતું તે ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું આગામી 14 અને 15 જૂન દરમિયાન ગુજરાતના દરિયા કિનારે ટકરાવાની શક્યતા રહેલી છે, ત્યારે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જાહેર જનતાને જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની યાદીમાં જણાવ્યું છે કે, વાવાઝોડા પહેલાં આગાહી માટે નાગરિકોએ સમાચારો, ટી. વી. સમાચાર,રેડીયો અને જાહેરાતોનાં સંપર્કમાં રહેવું, માછીમારોએ દરિયો ખેડવો નહિ, બોટને સલામત સ્થળ પર લાંગરવી, દરિયાકાંઠે વસતા અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું, ઘરના બારી-બારણાં તેમજ છાપરાનું મજબૂતીકરણ કરવું અને ખાવાની વસ્તુઓ, ફાનસ, ટોર્ચ, કપડાં, પાણી અને રેડીયો જેવી તાત્કાલિક જરૂરીયાતની વસ્તુઓ ભેગી કરીને પોતાની પાસે તૈયાર રાખવી, જરૂરી તેમજ કિંમતી સામાન હોય તેને પ્લાસ્ટીકમાં પેક કરીને જો શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા અને જ્યારે પણ લાગે ત્યારે સલામત સ્થળ પર ખસી જવું અને પ્રાણીઓને પણ સલામત સ્થળે લઇ જવા.
ઉલ્લેખનિય છે કે, નાગરિકોએ વાવાઝોડા દરમિયાન વાવાઝોડા દરમિયાન પાણીના સ્ત્રોતથી દૂર જતું રહેવું, થાંભલાઓ કે ઝાડ પાસે ઉભા રહેવું નહિ, ઘરની બહાર જરૂર ન હોય તો નીકળવું નહીં, ગેસ કનેક્શન અને વીજ પ્રવાહ કરી દેવા, ઘરનાં બધા જ બારી બારણાં બંધ કરી દેવા, જો શક્ય હોય તો ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને ખોટી અફવાઓથી દૂર રહેવું.
નોંધનીય છે કે, ઉપરાંત વાવાઝોડુ જતું રહે તે પછી તંત્ર દ્વારા સૂચના મળ્યા પછી જ નાહરિકોએ બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી નીકળવું નહિ, ઇજા પામેલા લોકોને પ્રાથમિક સારવાર આપીને તેમને બને તેટલા જલ્દી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાઇગયેલા લોકોનો તાત્કાલિક બચાવ કરવો, ખુલ્લા અને છૂટા પડેલા કોઈપણ વાયરોને અડકવું નહીં, ભયજનક અને અતિ નુકશાન થયેલા મકાનોને તાત્કાલિક ઉતારી લેવા, ક્લોરીનયુક્ત હોય તેવા પીવાના પાણીનો ઉપયોગ કરવોસ તેમજ જ્યાં ગંદુ પાણી ભરાયું હોય ત્યાં દવાનો છંટકાવ કરવો જેવી વગેરે બાબતોનું ધ્યાન રાખવા માટે નાગરિકોને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.