AhmedabadGujarat

સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાશે વધુ એક નજરાણું, ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન માટે PM મોદી પાસે માંગ્યો સમય

અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વધુ એક સુંદર નજરાણુ જોવા અને માણવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અક્ષર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરુ કરવામાં આવશે. આધુનિક ટેક્નોલોજીથી ક્રુઝને સજ્જ કરવામાં આવ્યું છે. ક્રૂઝ પૂર્ણ રીતે તૈયાર થઇ ગયું છે અને હવે અમદાવાદ સાબરમતી નદીમાં ક્રુઝની ટ્રાયલ શરુ કરવામાં આવી છે. જૂન મહિનામાં ક્રુઝ શરુ કરવામાં આવે તેવો અંદાજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ક્રુઝના ઉદ્ગાટન માટે સમય માંગવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એક સાથે 125થી 150 લોકો આ ફલોટિંગ રેસ્ટોરન્ટમાં એક સાથે 125થી 150 લોકો બેસી શકશે. અક્ષર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યું છે. નદીમાં કાર્યરત થનારી દેશની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે. જેમાં સીસીટીવી કેમેરા, લાઇફ સેવિંગ કિટ, તેમજ લાઇટીંગ અને ડીજે સાઉન્ડ પણ રહેશે.

નોંધનીય છે કે, અમદાવાદની સાબરમતી નદી પર બનેલ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બગીચાઓ અને ઉદ્યાનો, ફૂડ કોર્ટ, રિવરસાઇડ પ્રોમીનાડ, ઇવેન્ટ સેન્ટર, બાયોડાયવર્સિટી પાર્ક,ઘાટ,વોકવે વગેરેના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટેના કારણે હવે સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા આવવા તેમજ મનોરંજન માટે વધુ એક નજરાણું ઉમેરાશે. આ રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં સફર દરમિયાન લોકો સ્વાદિષ્ટ ભોજનની સાથો સાથ અનેક આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓ માણી શકશે. આ મુસાફરી લોકો માટે એકદમ આરામદાયક બની જશે.