AhmedabadCrimeGujaratMadhya Gujarat

અમદાવાદમાં પહેલા યુવકની કરવામાં આવી હત્યા અને પછી…

ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ, આત્મહત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. જાણે પોલીસનો ડર ના હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે. ધંધો ન રહેતા લોકો ગુનાખોરીના માર્ગે વધ્યા છે. ત્યારે આજે વધુ એક બનાવ અમદાવાદથી સામે આવ્યો છે.

અમદાવાદનાં ચાણક્યપુરી વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. થર્ટી ફર્સ્ટની રાત્રીના ડમરું સર્કલ સેક્ટર-3 વિસ્તારમાં આ એક યુવકની હત્યા કરવામાં આવી છે. જેમાં 25 વર્ષીય રાજેન્દ્ર કાનારમ નવલ નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદનાં ચાણક્યપૂરીમાં હત્યાના સમાચારથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. 31st ની રાત્રીના ડમરુ સર્કલ સેકટર 3 વિસ્તારમાં 25 વર્ષીય રાજેન્દ્ર કાનારમ નવલ નામક યુવાનની કરપીણ હત્યા કરાઈ હતી. અંદાજીત 4 લોકો દ્વારા સેકટર 3 થી ઉપાડીને સોલા બ્રિજ પાસે આવેલા ફાટક પાસેની અવાવરૂ જગ્યાએ લાવવામાં આવ્યા હતા. જ્યાં રેલવે ફાટક પાસે પથ્થરનાં ઘા ઝીંકી હત્યા કરાઈ છે.

જ્યારે યુવકની હત્યા કર્યા બાદ લાશને રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હતી. વહેલી સવારના પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એવામાં આ હત્યા ક્યા કારણોસર કરવામાં આવી છે તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી.

નોંધનીય છે કે, અમદાવાદમાં ચાણક્યપુરીમાં કુખ્યાત પ્રદીપ માયાની તલવારના ઘા મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગયો છે. કુખ્યાત ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની કૌટુંબિક બનેવી અનિશ પાંડે દ્વારા તેના સાગરીતો સાથે મળી તલવારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.