GujaratAhmedabad

ચાંદખેડામાં દર્દનાક ઘટના, એપાર્ટમેન્ટના 10 મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી હત્યા

અમદાવાદના ચાંદખેડાથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જેને જાણીને તમે ચકિત થઈ જશો. ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગયો છે. નવજાત બાળકની દસમાં માળેથી ફેંકીને કરૂણ હત્યા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ચાંદખેડાની સ્કાય વોક એપાર્ટમેન્ટમાં આ ઘટના ઘટી છે. તેના લીધે એપાટમેન્ટમાં ગમગીન વાતાવરણ સર્જાયું છે. તેની સાથે ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા આ મામલામાં તપાસ શરુ કરવામાં આવી છે કે, આ બાળક કોનું છે. પોલીસ દ્વારા સોસાયટીના શંકાસ્પદ લોકોનું ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવશે. તેનાથી ખ્યાલ આવી શકશે કે આ બાળક કોનું છે. આ સિવાય પોલીસ દ્વારા તે પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે, આ સોસાયટીમાં થોડા દિવસોમાં કેટલી મહિલાની ડીલીવરી થઈ હતી.

જ્યારે નવજાત બાળક કેવી રીતે નીચે પડ્યું કે પછી ફેંકી દેવામાં આવ્યું તે બાબતમાં હજુ કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. પોલીસ દ્વારા આ બાબતમાં સોસાયટીના સીસીટીવી ફૂટેજ સહિત તમામ વસ્તુઓ જપ્ત કરીને આજુબાજુના લોકોને પૂછપરછ કરીને ઘટના બાબતમાં તપાસ શરુ કરવામાં આવી છે. પરંતુ 10 માળેથી બાળક પટકાતાં માથાનો ભાગ ફાટતા ઘટના સ્થળ પર જ નવજાત બાળકનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત

આ પણ વાંચો: કચ્છની કેસર કેરીને લઈને આવ્યા મોટા સમાચાર

આ પણ વાંચો: રાજકોટમાં સ્કૂલ બસ નીચે કચડાતા વિદ્યાર્થિનીનું કરૂણ મોત