SaurashtraGujaratJamnagar

દ્વારકામાં એક જ પરિવારના ચાર લોકોએ કર્યો સામુહિક આપઘાત, પતિ-પત્ની, દીકરા-દીકરીનું કરુણ મોત

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં આજે આવી જ એક બાબત સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સામુહિક આપઘાત ની ઘટના સામે આવી છે. ધારાગઢ ગામમાં એક જ પરિવારના ચાર લોકો દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ, મૂળ મોડપરના અને હાલ જામનગર રહેનાર પરિવાર દ્વારા સામૂહિક આપઘાત કરી લેવામાં આવ્યો છે. પતિ-પત્ની, દીકરા અને દીકરી દ્વારા આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. ભાણવડ પોલીસ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આ મામલામાં તપાસ શરુ કરી છે.

તેમ છતાં આપઘાત કરવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ દ્વારા દરેક દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. દ્વારકાના ભાણવડ તાલુકામાં એક જ પરિવારના ચાર લોકો દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે. ધારાગઢ ગામમાં ચાર લોકો દ્વારા ઝેરી દવા પી આપઘાત કરી લેવામાં આવ્યો છે.