SaurashtraGujaratJamnagar

PM નરેન્દ્ર મોદી એ જામસાહેબની મુલાકાત કરી, બાપુએ પાઘડી પહેરાવી આવકાર્યા

ગુજરાતમાં નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા છે. તેની સાથે ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે પીએમ મોદી દ્વારા ભાજપને લઈને જોરશોરથી પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પીએમ મોદીનો આજે પ્રચારનો બીજો દિવસ રહેલ છે. ગુજરાતમાં આજે આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેરસભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગરમાં સંબોધવામાં આવી હતી. જામનગરમાં સભાને સંબોધતાં પહેલા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરવામાં આવી હતી. બાપુ દ્વારા પીએમનું પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, PM નરેન્દ્ર મોદી હાલારી પાઘડી પહેરીને સભા સ્થળે પહોંચ્યા હતા. ત્યાર બાદ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તમને બધાને એમ થયું હશે કે, નરેન્દ્ર ભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા? હું રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયેલો હતો. મારા પર તેમનો અનન્ય પ્રેમ રહેલો છે. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી કઈ બાકી જ રહે નહીં. જામ સાહેબની પાઘડી મારા માટે મોટો પ્રસાદ રહેલ છે. ભુપેન્દ્ર ભાઈ પાઘડી પહેરાવતા હતા ત્યારે મે જણાવ્યું હતું કે, મેં પહેરેલી પાઘડી ઉતારાય તેમ નથી.

નોધનીય છે કે, ભાજપથી નારાજ ક્ષત્રિય સમાજને રિઝવવા PM મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘મેં કહ્યું મારા ક્ષત્રિય સમાજના બલિદાન સાથે હું હર હંમેશ રહેલ છું. મે કાર્યક્રમને પણ વધાવ્યો હતો. માન્યતા એવી હતી કે, જે મુખ્યમંત્રી ભૂચરમોરી સ્થળની મુલાકાત લે તેમની મુખ્યમંત્રીની ખુરશી ચાલી જતી હતી. આ સિવાય તેમણે જામનગરના મહાન રાજવી દિગ્વિજયસિંહને પણ યાદ કર્યા હતા. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, હું આજે જામ સાહેબને મળીને આવ્યો અને તેમને જણાવ્યું કે, વિજયી ભવઃ કહ્યું હવે પૂર્ણ’. જામ સાહેબ સાથેની આ મુલાકાતથી રાજ્યના રાજકારણ ગરમાવો આવ્યો છે. પીએમ મોદીની જામનગરના રાજવી સાથેની આ મુલાકાત ઘણી સુચક માનવામાં આવે છે. PM નરેન્દ્ર મોદીએ નારાજ ક્ષત્રિય સમાજને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ મુલાકાતથી ક્ષત્રિયો પર કેટલી અસર થાય છે તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનેલ છે.